
બાબુ સોલંકી :- સુખસર
-
ફતેપુરા તાલુકાની પ્રજાને કોરોનાવાયરસ,પાણીની સમસ્યા, સ્થાનિક જગ્યાએ રોજગારી જેવા સતાવતા વિવિધ પ્રશ્નો પ્રત્યે વહીવટી તંત્રોની સજાગતા જરૂરી
-
તાલુકામાં કોરોનાના વધતા જતા કેસ,આવનાર સમયમાં ઉભી થનાર પાણીની સમસ્યા, સરકારના પરિપત્ર મુજબ રોગચાળો અટકાવવાના નિયમો પ્રત્યે પ્રજામાં જાગૃતિનો અભાવ, વાહન ચાલકોની બેદરકારીથી વધતા જતા અકસ્માત બનાવો,
-
સામાજિક પ્રસંગોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ, સ્થાનિક જગ્યાએ રોજગારીના અભાવે રોજીરોટી માટે હિજરત કરતી પ્રજા સહિત અનેક પ્રશ્નો એ પ્રજાને બાનમાં લીધેલ છે.
-
ફતેપુરા તાલુકામાં કૂવા તથા બોરના તળ ઉંચા લાવવા કડાણા દાહોદ એક્સપ્રેસ પાણીની પાઈપલાઈન દ્વારા નદી,નાળા,તળાવો માં પાણી ભરવા માંગ.