
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ગુજરાતમાં રાજ્યવ્યાપી મામલતદારોની બદલીઓમાં ફતેપુરા તેમજ ઝાલોદના મામલતદાર બદલાયા…
ફતેપુરા મામલતદાર પી.એન.પરમારની બદલી અરવલ્લી જિલ્લા કલેકટર કચેરીમાં મામલતદાર તરીકે થઈ
ઝાલોદના મામલતદાર જે.વી પાંડવ ની બદલી ફતેપુરા મામલતદાર તરીકે થઈ
ફતેપુરા તા.18
ગુજરાત રાજ્યમાં વિવિધ કચેરીઓમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા મામલતદારશ્રી ઓની તેમજ નાયબ મામલતદારોની બઢતી સાથે બદલીના હુકમો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા ફતેપુરા તાલુકાના મામલતદાર તરીકેની ફરજ બજાવતા શ્રી પી એન પરમાર ની અરવલ્લી જિલ્લા કલેકટર કચેરી માં મામલતદાર તરીકેની બદલી કરવામાં આવેલ છે જ્યારે ઝાલોદ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા જે વી પાંડવની ફતેપુરા તાલુકા મામલતદાર તરીકે ના બદલીના હુકમો સરકારશ્રીમાંથી કરવામાં આવેલ છે.