Saturday, 21/06/2025
Dark Mode

71 કરોડના મનરેગા કૌભાંડમાં TDO તેમજ કરાર આધારિત 4 સરકારી કર્મચારીઓની જામીન માટેની સુનવણી પુર્ણ: ચુકાદો મુલત્વી..

June 3, 2025
        648
71 કરોડના મનરેગા કૌભાંડમાં TDO તેમજ કરાર આધારિત 4 સરકારી કર્મચારીઓની જામીન માટેની સુનવણી પુર્ણ: ચુકાદો મુલત્વી..

#DahodLive#

71 કરોડના મનરેગા કૌભાંડમાં TDO તેમજ કરાર આધારિત 4 સરકારી કર્મચારીઓની જામીન માટેની સુનવણી પુર્ણ: ચુકાદો મુલત્વી..

દાહોદ તા.02

દાહોદના બહુચર્ચિત 71 કરોડના મનરેગા કૌભાંડમાં પકડાયેલા અને હાલ જેલવાસો ભોગી રહેલા દેવગઢ બારીયાના તત્કાલીન ટીડીઓ તેમજ એકાઉન્ટ ઓફિસર તથા ગ્રામ રોજગાર સેવક સહિત પાંચ લોકોની જામીન અરજી અંગેની સુનવણી આજે પૂર્ણ થઈ છે. જેમાં કોર્ટે તેનો ચુકાદો મુલત્વી રાખ્યો છે.

 

 દેવગઢબારિયાના કુવા,રેઢાણા તેમજ ધાનપુરના સીમામોઇ સહિત ત્રણ ગામોમાં કામ કરનાર એજન્સીઓ તેમજ સરકારી બાબુએ ભેગા મળી પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે સરકાર જોડે છેતરપિંડી કરી 71 કરોડના કૌભાંડ આચરી દીધો હતોં. જેમાં તત્કાલીન ડીઆરડીએ નિયામક બળવંત પટેલે બી ડિવિઝન પોલીસ મથકમાં માં ગુનો દાખલ કરાવતા પોલીસે સૌથી પહેલા દેવગઢબારિયા તથા ધાનપુરના એકાઉન્ટ આસિસ્ટન્ટ જયવીર નાગોરી તેમજ મહિપાલસિંહ ચૌહાણ, તથા ગ્રામ રોજગાર સેવક મંગળસિંહ પટેલીયા તેમજ ફૂલસિંહ બારીયા તથા દેવગઢ બારીયાના તાત્કાલિક ટીડીઓ દર્શન પટેલની ધરપકડ કરી હતી. અને રિમાન્ડ મેળવી કથિત કૌભાંડ અંગે પૂછપરછ હાથ ધરી હતી અને રિમાન્ડ પૂર્ણ થતા જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. જે બાદ ઉપરોક્ત તાલુકા વિકાસ અધિકારી, એકાઉન્ટ આસિસ્ટન્ટ તેમજ ગ્રામ રોજગાર સેવક સહિત પાંચ લોકોની આજે જામીન અંગેની સુનવણી દાહોદની કોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં દલીલોની સુનાવણીના અંતે તેનો ચુકાદો મુલતવી રાખ્યો છે. અને સંભવિત આગામી બે-ત્રણ દિવસમાં ઉપરોક્ત સરકારી બાબુઓની જામીન અંગે ચુકાદો સંભળાવશે. એટલે આગામી દિવસમાં ઉપરોક્ત સરકારી બાબુઓ જેલ મુક્ત થાય છે. કે હજી પણ જેલવાસો ભોગવે છે. તે મહત્વપૂર્ણ બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!