જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત :એક ઈજાગ્રસ્ત…
દાહોદ તા.૦૪
દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે એક ટ્રેક્ટર અને મોટરસાઈકલ વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતાં આ માર્ગ અકસ્માતમાં મોટરસાઈકલ ચાલકનું સારવાર દરમ્યાન મોત નીપજતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે લગભગ બે – ત્રણ દિવસ અગાઉ એક ટ્રેક્ટર અને મોટરસાઈકલ વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં મોટરસાઈકલ ચાલકનું મોત નીપજ્યું હતું. ગંભીર ઈજાગ્રસ્ત મોટરસાઈકલના ચાલક મનીષભાઈ રૂમાલભાઈ કલારાને તાત્કાલિક દાહોદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. સારવાર દરમ્યાન આજરોજ મનીષભાઈનું મોત નીપજતાં હોસ્પિટલ ખાતે જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનામાં હોસ્પિટલમાં પરિવારજનો દ્વારા ટ્રેક્ટરના ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહીની પોલીસ સમક્ષ માંગ કરી હતી ત્યારે ઘટના સ્થળે દોડી ગયેલ પોલીસે પણ કાર્યવાહી કરવાની આશ્વાસન આપ્યું હતું.
——————-