સંજેલી તાલુકામાં અતિશય વરસાદ અને ભારે વાવાઝોડાને કારણે એક મકાન ઘરસાઈ સહીત ઠેર ઠેર માર્ગ વૃક્ષ ધરાસાઈ અને પતરાના સેડ ઉડી જવાની દુર્ઘટના સામે આવી છે.

Editor Dahod Live
2 Min Read

મહેન્દ્ર ચારેલ :- સંજેલી 

સંજેલી તાલુકામાં અતિશય વરસાદ અને ભારે વાવાઝોડાને કારણે એક મકાન ઘરસાઈ સહીત ઠેર ઠેર માર્ગ વૃક્ષ ધરાસાઈ અને પતરાના સેડ ઉડી જવાની દુર્ઘટના સામે આવી છે.

ભારે પાવનના વાવાઝોડા સાથે વીજળીના કડાકાભડાકા સાથે ગાજવીજ થતા કોટા ગામના એક ગરીબ યુવકનું મકાન ઘરાશાય થયુ.

સંજેલી તા. ૨

વાવાઝોડાના કારણે ભગોરા સંજયભાઈ શૈલેષભાઈ ભાઈનું મકાનનું ભારે નુકસાન થયુ જવાબદાર તંત્રને જાણ કરવા છતાં કોઈ પણ જાતની તપાસ કરવામાં નથી આવી હોવાનું અરજદારે જણાવી રહ્યા છે.

આ આખી ઘટનામાં સ્થાનિક તંત્ર દ્વારા તપાસના નામે માત્ર મૌન સેવવામાં આવતાં લોકોમાં ભારે આક્રોશ અને ચર્ચા જોવા મળી રહી છે.

સંજેલીમાં કુદરતનો પ્રકોપ: વાવાઝોડામાં મકાનની ઘરાસાઈ થયું સરપંચ તલાટી ને જાણ કરવા છતાં તપાસને નામે મૌન 

સમગ્ર સંજેલી તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને ગાજવીજ સાથે અતિશય વાવાઝોડા વચ્ચે વરસાદ ખાબક્યો હતો. આ તીવ્ર વાવાઝોડાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં સંજેલી થી સૂલિયાત જવાના માર્ગ તેમજ ચમારીયા સંજેલી સહીત એક ગરીબ પરિવારના મકાનના ઘરસાઈ થઇ તેમજ સંતરામપુર રોડ પર કેબીનોના પતરાં ઉડ્યા આખેઆખી છત હવામાં ઉડી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘરવખરી અને અનાજ પલળી જતાં પરિવાર ખુલ્લા આકાશ નીચે આવી ગયો છે અને તેમને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ત્યારે તંત્ર માત્ર કાગળ પર તપાસના નામે સમય પસાર કરી રહ્યું છે. પીડિત પરિવારને તાત્કાલિક સહાય મળવી જોઈએ.

હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ અધિકારીઓ આ બાબતે વહેલી તકે જાગશે અને આ ગરીબ પરિવારને સરકારી નિયમો મુજબ યોગ્ય વળતર કે તાત્કાલિક સહાય પૂરી પાડશે કે પછી આ મામલો આમ જ દબાઈ જશે.

Share This Article