મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તાલુકાના ઢેઢિયામાં દીપડાનો આંતક 3 બકરાને ફાડી ખાતાં મોત 2 બકરા ઘાયલ ગ્રામજનો ભયભીત!
દાહોદ તા. ૧૩
સંજેલી તાલુકો જંગલ અને ડુંગરાળ વિસ્તાર ધરાવતો તાલુકો છે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરું મુકી અનેક પ્રયાસો: વન વિભાગ ના કામયાબ રહ્યું.
ઢેઢિયા, કલ્યાણપુરા ,ડુંગરા, કકરેલી, ભામણ, ચમારીયા જેવા વિસ્તારોમાં દીપડાના આટાફેરા કરતા હોવાનું લોકોમાં ભારે ચર્ચા.
દીપડાએ સંજેલી તાલુકા પંથકમાં મૂંગા પશુઓનો શિકાર કર્યો
વન વિભાગને જાણ કરાતા વન વિભાગ દ્વારા સ્થળ પર પહોંચી પંચકેસ કરી કાર્યવાહી હાથ ધરી.
સંજેલી તાલુકાના ઢેઢિયામાં રાત્રિના 2 વાગ્યાના અરસામાં દિપડાનો આંતક ત્રણ બકરા ફાડી ખાધા અને બે પર હુમલો હોવાનું સામે આવીયુ :
ઢેઢિયામાં દિપડાએ બકરાને ફાડી ખાતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો.
