વધુમાં આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ભારતીય અધિનિયમ ૧૯૩૫ના અંતર્ગત ભારતીય ઈસાઈની પરિભાષામાં એમ કહેવામાં આવ્યું છે કે, ભારતીય ઈસાઈ તે હશે જે કોઈ પણ ઈસાઈ પંથને માનતો હોય અને યુરોપીય અથવા આંગલો – ઈન્ડિયન ન હોય જેના અનુસાર, અનુસુચિત જનજાતિથી એક વ્યક્તિ ઈસાઈ ધર્મમાં ધર્માન્તરિત થઈ છે, સ્વાભાવિક રૂપથી તે વ્યક્તિ ભારતીય ઈસાઈની શ્રેણીમાં આવશે જેને કોઈપણ પ્રકારના આરક્ષણની સુવિધા આપવામાં અસંવૈધાનિક માનવામાં આવશે. વાસ્તવિક જનજાતિયોની સાથે થઈ રહેલા અન્યાયની સામે જનજાતિ સુરક્ષા મંચ વર્ષાેથી લડત લડી રહ્યું છે તે છતાં અત્યાર સુધી સુવિધાઓનું ધર્માન્તરિય લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને આર્થિક અને શૈક્ષણિક રીતે સાચા અને વાસ્તવિક જનજાતિયોના લોકો આ લોકો ઘણી સારી સ્થિતિમાં છે. જનજાતિ સુરક્ષા મંચના જણાવ્યા અનુસાર, ઘણો વિલંબ થઈ જવાના બાદ પણ આ દિશામાં સંસોધન કરવું અતિઆવશ્યક બન્યું છે. આ મંચ દ્વારા રાષ્ટ્રપતિને અનુરોધ પણ કરવામાં આવ્યો છે કે, પાંચ દશકોથી લાંબા સમયની આ સમસ્યાનું સમાધાન માટે પ્રાથમિક આધાર પર અનુસુચિત જનજાતિયોની સાથે થઈ રહેલા આ અન્યાયને હંમેશા માટે સમાપ્ત કરવામાં આવે અને ધમાર્ન્તિરીય લોકોને અનુસુચિત જનજાતિની સુચિથી હટાવીને તાત્કાલિક આવશ્યક સંસોધન કરી વાસ્તિવક જનજાતિના લોકોના સમાન્યાનું નિરાકરણ લાવવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.