સુખસર કૃષિ શાળાના આચાર્ય કોરોના પોઝિટિવ.શાળાના સંક્રમિત 19 શિક્ષકોને રિપોર્ટ કરાવવા આરોગ્ય વિભાગની સુચના,

Editor Dahod Live
1 Min Read
સુખસર કૃષિ શાળાના આચાર્ય કોરોના પોઝિટિવ.શાળાના સંક્રમિત 19 શિક્ષકોને રિપોર્ટ કરાવવા આરોગ્ય વિભાગની સુચના, ગવા ડુંગરા માં પણ એક  કોરોના પોઝિટિવ.

 સુખસર તા.26

ફતેપુરા તાલુકાના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં કોરોનાવાયરસ એ પગ પેસારો કરી દીધો છે કેટલા કેટલાક દિવસોથી શિક્ષકો કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાનો અહેવાલ મળી રહ્યા છે સુખસર કૃષિ શાળા ના આચાર્ય પણ કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે જેઓ અને સંતરામપુર સારવાર અર્થે લઈ જવાયા હોવાનું જાણવા મળ્યું હતું.

         ફતેપુરા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાવાયરસ ની સંક્રમણથી ઝપટમાં આવેલા લોકોના પોઝિટિવ રિપોર્ટ ખળભળાટ મચી જવા પામ્યો છે સુખસર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા પર્વતભાઈ લબાના પણ કોરોનાવાયરસ રીઝલ્ટ માં આવતા પોઝિટિવ રિપોર્ટ આવતા ખળભળાટ મચી ગયો છે સંતરામપુર હોસ્પિટલમાં કરાવતા કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટી થઇ હતી. શાળામાં ૧૯ જેટલા શિક્ષકો પણ ફરજ બજાવતા હોવાથી સંક્રમિત હોવાની વાતને લઇ પ્રાથમિક આરોગ્ય વિભાગ દ્વારા 19 શિક્ષકોને કોરોના નો રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી હતી હાલમાં શાળાઓ બંધ હોવાથી વિદ્યાર્થીઓ શાળામાં આવતા નથી માત્ર શિક્ષકો જ શાળામાં આવે છે.

Share This Article