Friday, 29/03/2024
Dark Mode

ફતેપુરા પી.એસ.આઇ દ્વારા રામ નવમીની તૈયારીઓ કરતા સ્વયંસેવકો સાથે અસભ્ય વર્તન કરવા બદલ આવેદન પત્ર આપી ઉગ્ર રજુઆત.

March 28, 2023
        3405
ફતેપુરા પી.એસ.આઇ દ્વારા રામ નવમીની તૈયારીઓ કરતા સ્વયંસેવકો સાથે અસભ્ય વર્તન કરવા બદલ આવેદન પત્ર આપી ઉગ્ર રજુઆત.

બાબુ સોલંકી:- સુખસર

ફતેપુરા પી.એસ.આઇ દ્વારા રામ નવમીની તૈયારીઓ કરતા સ્વયંસેવકો સાથે અસભ્ય વર્તન કરવા બદલ આવેદન પત્ર આપી ઉગ્ર રજુઆત.

ફતેપુરા પી.એસ.આઇ.ની વિરુદ્ધમાં મામલતદાર થી લઇ ગૃહમંત્રી સુધી રજુઆત કરી 

સુખસર,તા.28

 હિન્દૂ ધર્મમાં રામ ભગવાનનું અનેરું મહત્વ રહેલું છે.ત્યારે આગામી સમયમાં આવતા રામ નવમીના તહેવાર ને લઇ પોલીસ અને હિન્દૂ સંગઠનના લોકોને પોલીસ દ્વારા અભદ્ર વર્તન કર્યું હોવાના આક્ષેપ સાથે મામલતદાર થી લઇ ગૃહ મંત્રી સુધી રજુઆત કરતા સમગ્ર પંથકમાં ચકચાર ભર્યું વાતાવરણ ઉભું થયું છે.

પ્રાપ્ત વિગત મુજબ ફતેપુરા નગરમાં હિન્દૂ સંગઠનો દ્વારા આગામી સમયમાં આવતા હિંદૂ ઓના પવિત્ર તહેવાર રામનવમી આવી રહ્યો છે.ત્યારે નગર માં રામ નવમીની ઉજવણી ની ભવ્ય તૈયારી ઓ કરી દેવા માં આવી છે.અને સમગ્ર પંથક ભગવામય બની ચૂક્યું છે. અને નગરમાં ઠેર-ઠેર ભાગવા ધ્વજ લહેરતા નગરમાં સુંદર ધાર્મિક વાતાવરણ ઉભું થયું છે. ત્યારે હિન્દૂ સંગઠનોમાં રામ નવમી ઉજવણી ને લઇ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્યારે જેની તૈયારી ઓ પણ આગળ થી કરવા માં આવી રહી છે.

        ફતેપુરા નગર પોલીસ મથક ના જવાબદાર અધિકારી દ્વારા હિન્દૂ સંગઠનોના આગેવાનો તેમજ સ્વયં સેવકોને અભદ્ર વર્તન કરી માં-બેન સામાણી ગાળો ભાંડી હોવા નો આક્ષેપ હિન્દૂ સંગઠનો દ્વારા કરવા માં આવી રહ્યો છે.જયારે કે નગરમાં રહેતા અન્ય કોમના લોકો સાથે પણ ભાઈચારા થી રહે છે.અને જેની નગરમાં કોઈ પણ સમસ્યા રહેલી નથી.છતાં પણ હિન્દૂ ધર્મના તહેવાર ઉશકેરાટ થાય તેવી માનસિકતા ધરાવતા હોવાનો આક્ષેપ અધિકારી પર લાગવવામાં આવી રહ્યો છે.અને હિન્દૂ ધર્મના પવિત્ર તહેવાર રામ નવમીની ઉજવણી કરનાર અને આગેવાની કરનાર લોકો વિરુદ્ધ ખોટા કેસમાં ફસાવી દેવાની ખુલ્લેઆમ ધમકી ઓ આપવામાં આવી રહી હોવા ના આક્ષેપો કરવા માં આવી રહ્યા છે.જેને લઈ નગરમાં આ અધિકારી દ્વારા કરવા માં આવતા મનસ્વી વ્યવહારના કારણે ગામમાં શાંતિ જોખમાવવાના પણ આક્ષેપ કરવા માં આવી રહ્યા છે. તેમજ રામનવમીના તહેવારને નિષ્ફળ બનાવવાના પ્રયાશો કરવા માં આવી રહ્યા હોવાના પણ આક્ષેપો હિન્દૂ સંગઠનો દ્વારા અધિકારી પર લાગવવા માં આવી રહ્યા છે.

       ત્યારે ફતેપુરા નગરના નગરજનો તેમજ હિન્દૂ સંગઠનો દ્વારા આ બાબતે પોલીસ અધિકારી પર કાયદેસર પગલા લઇ કાર્યવાહી કરવા માટે હિન્દૂ સંગઠનો દ્વારા મામલતદાર થી લઇ ગૃહ વિભાગને આવેદન પત્ર આપવા માં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!