
સુમિત વણઝારા
દાહોદમાં ત્રણ પુત્રીઓએ પિતાને મુખાગ્નિ આપી પુત્ર સમોવડી હોવાની ફરજ અદા કરી
દાહોદ , તા . ૫
દાહોદમાં આનંદનગર સોસા.માં રહેતા સમાજક્લ્યાણ કચેરીમાંથી નિવૃત થયેલ શ્રીનગીનભાઈ માનસીંગભાઈ પરમારનું કેન્સરની લાંબી માંદગી બાદ તા . ૩.૫.૨૦૨૨ ના રોજ મૃત્યુ થતાં તેને સંતાનમાં ત્રણ દિકરીઓ જ હતી જે ત્રણ દિકરીઓને પિતાને કાંધ આપી સ્મશાનમાં જઇ પિતાને મુખાગ્નિઆપી પુત્ર સમોવડી બની સમાજમાં પુત્રની ખોટ પડવા ન દઇ એક આદર્શ ઉદા . પુરુ પાડ્યું હતું . આજના જમાનામાં દિકરીઓ કોઈ પણ ક્ષેત્રમાં દિકરાઓથી ઓછી નથી . તેનો દાખલોઆ દિકરીઓબેસાડ્યોછે.એક નાની દિકરીએ તો તેમના પિતાનીસેવા કરવા લગ્નપણ કર્યા નથી . જે પુત્ર કરતાં પણ પુત્રીનો અતિશય સ્નેહ દર્શાવે છે . ધન્ય છે . આવી દિકરીઓને