
સુમિત વણઝારા :- લીમડી
દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતનો સીલસીલો યથાવત: ઝાલોદ તાલુકાના ભાણપુર ગામે અજાણ્યા વાહનની અડફેટે બાઇક ચાલકનું મોત
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ભાવપુરા ગામે એક અજાણ્યા વાહનની ટક્કરે એક મોટરસાઈકલના ચાલક આવી જતાં મોટરસાઈકલના ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા. ૨૮મી માર્ચના રોજ ઝાલોદ તાલુકાના ભાવપુરા ગામેથી એક અજાણ્યો વાહનનો ચાલક પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાંથી પોતાના કબજાની મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ ઝાલોદ તાલુકાના મુંડાહેડા ગામે જળાઈ ફળિયામાં રહેતાં સતીષભાઈની મોટરસાઈકલને અડફેટમાં લેતાં સતીષભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવતાં સતીષભાઈનું સારવાર દરમ્યાન મોત નીપજતાં આ સંબંધે મૃતક સતીષભાઈના પિતા દેવસીંગભાઈ ટીટાભાઈ આમલીયારે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.