Sunday, 08/09/2024
Dark Mode

બિલવાણી ગામે એકાદશ કુંડીય સહસ્ત્રચંડી મહાયજ્ઞ નો પ્રારંભ

January 16, 2024
        451
બિલવાણી ગામે એકાદશ કુંડીય સહસ્ત્રચંડી મહાયજ્ઞ નો પ્રારંભ

 

રાજેશ વસાવે :- દાહોદ 

બિલવાણી ગામે એકાદશ કુંડીય સહસ્ત્રચંડી મહાયજ્ઞ નો પ્રારંભ

રાષ્ટકલ્યાણ અને રામ મંદિર નિર્માણ હેતુ સહસ્ત્રચંડી મહાયજ્ઞ નો શુભારંભ

મહાયજ્ઞ ના પ્રથમ દિવસે પ્રાયશ્ચીત કર્મ ,દસવિધ સ્નાન ,શોભાયાત્રા ,મંડપ પ્રવેશ તેમજ મંડળ પ્રવેશ ના કાર્યક્રમ યોજાયા

દાહોદ તા. ૧૬

બિલવાણી ગામે એકાદશ કુંડીય સહસ્ત્રચંડી મહાયજ્ઞ નો પ્રારંભ
ઝાલોદ તાલુકા ના લીમડી નજીક બિલવાણી ગામે પ્રવર્તમાન સંજોગો અને ખાસ કરીને ભારત વર્ષ મા સુખ શાંતી સમરૂદ્ધી સાથે લોક કલ્યાણ તેમજ શ્રી રામ મંદિર નિર્માણ હેતુ એકાદશ કુંડીય મહાયજ્ઞ નો પ્રારંભ કરવામા આવ્યો હતો.સવારે 10 કલાક થી પુજાનો પ્રારંભ કરવામા આવ્યો હતો.મધ્ય્પ્રદેશ અને બનારસ ના વિધ્વાન પંડીતો દ્રારા એકાદશ કુંડીય મહાયજ્ઞ નો પ્રારંભ કરાવવામા આવ્યો હતો. જેમા પ્રથમ પ્રાયશ્ચીત કર્મ વિધી કરવામા આવી હતી.આ વિધી મા મનુષ્ય મિત્ર થી જાણ્યે અજાણ્યે કોઈ પણ પાપ થયા હોય ,તેમજ માનસિક તેમજ શારીરિક તેમજ પુજા મા બેસવા માટે યોગ્ય બનવા માટે તેમજ તમામ પાપો માથી મુકતિ મળે તે હેતુ પ્રાયશ્ચીત કર્મ ની વિધી કરવામા આવી હતી.ત્યારબાદ અલગ અલગ દ્રવ્ય જેમ કે ગૌમુત્ર, માટી,સુવર્ણ

બિલવાણી ગામે એકાદશ કુંડીય સહસ્ત્રચંડી મહાયજ્ઞ નો પ્રારંભ

,સોપારી,ચંદન,સોપારી,ભસ્મ સહીત ના દસ દ્રવ્યો થી શરીરી ના બહાર ના શુદ્ધિકરણ માટે દસવિધ સ્નાન કરાવવામા આવ્યુ હતુ.તેમજ ભગવાન શ્રી વિષ્ણુ નુ શાલીગ્રામ સહીત પુજન કરવામા આવ્યુ હતુ.તેમજ યજ્ઞ મિ બેસનાર તમામ યજમાન ને યજ્ઞોપવીત (જનોઈ) ધારણ કરાવવામા આવી હતી.તેમજ ત્યારબાદ પ્રાયશ્ચીત હવન કરાવવામા આવ્યુ હતુ.આ એકાદશ કુંડીય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ કરવા માટે લાયક બની શકે.તદઉપરાંત કાર્યક્રમ મા શોભાયાત્રા નિકાળવામા આવી હતી.ત્યારબાદ મંડપ પ્રવેશ કરવામા આવ્યો,પંચાગ કર્મ, મંડળ સ્થાપના જેવા અનેક કારણ યોજાયા હતા.સમગ્ર કાર્યક્રમ મા જીલ્લાભર માથી યજમાનો સહીત દાહોદ ના ધારાસભ્ય કનૈયાલાલ કીશોરી,આચાર્ય નલીનભાઈ ભટ્ટ હાજર રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!