![દે.બારીયાના ભથવાડામાં 29 વર્ષીય યુવકે તેની પત્ની તેમજ અન્ય છ લોકોના ત્રાસથી કંટાળી જીવનલીલા સંકેલી: સાત વ્યક્તિઓ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો..](https://dahodlive.com/wp-content/uploads/2021/10/IMG_20211027_211508-1-770x377.jpg)
રાહુલ મહેતા :- દે. બારીયા
દે.બારીયાના ભથવાડામાં 29 વર્ષીય યુવકે તેની પત્ની તેમજ અન્ય છ લોકોના ત્રાસથી કંટાળી જીવનલીલા સંકેલી: સાત વ્યક્તિઓ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો..
29 વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું: યુવક દ્વારા પત્ની સહિત સાત વ્યક્તિઓના લીધે મોતને વ્હાલુ કર્યુ હોવાનું સુસાઇડ નોટ લખી..?
યુવકે 9 પાનાની સુસાઇડ નોટમાં સાત લોકોના નામજોગ ઉલ્લેખ કરી મોત અંગે જવાબદાર ઠેરવ્યા: પોલીસે મૃતકના ભાઇની ફરિયાદના આધારે તલસ્પર્શી તપાસ હાથ ધરી..
દાહોદ તા.૧૦
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ગામે એક ૨૯ વર્ષીય પરણિત યુવક દ્વારા પોતાની પત્નિ તથા તેના સહ સાથીદારોના ત્રાસથી કંટાઈ જઈ અને શારિરીક અને માનસીક ત્રાસથી કંટાઈ જઈ યુવકે જીંદગી ટુંકાવી લેવાના નિર્ણય સાથે કોઈ ઝેરી દવા પી જતાં તેને તાત્કાલિક નજીકના દવાખાને પરિવારજનો દ્વારા ખસેડવામાં આવતાં સારવાર દરમ્યાન યુવકનું મોત નીપજતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જાણવા મળ્યાં અનુસાર, આત્મહત્યા કરતાં પહેલા યુવકે સુસાઈડ નોટ પણ લખી હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને સુસાઈડ નોટમાં પણ અનેક ઉલ્લેખો કર્યાં હોવાને જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલે મૃતક યુવકના ભાઈ દ્વારા દ્વારા યુવકની પત્નિ સહિત ૦૭ ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
દેવગઢ બારીઆ તાલુકાના રેબારી ગામે બચલા ફળિયામાં રહેતાં ૨૯ વર્ષીય દિલીપભાઈ ભેમાભાઈ પટેલ પોતે સરકારી નોકરી પણ કરતાં હતાં. દિલીપભાઈની પત્નિ હીરલબેન દિલીપભાઈ પટેલ દિલીપભાઈને અવાર નવાર મેણા ટોણા મારી કહેતી હતી કે, તું મજી જા મારે તો વિશાલ છે જે મને બહુ લવ કરે છે, બહુ જ ચાહે છે, હુ તો એની જાેડે ફરીશ તમારે ખાલી રાખવાની, હું નેકરી પણ કરીશ, લોકો જાે પણ ફરીશ ખરી, તારે મને ખાલી પાળવાની, રાખવાની, કોઈને કહેવાનું નહીં, તેમ કહેતી રહેતી હતી અને હીરલબેનનો આ મામલે સાથ સહકાર આપી રહેલ જશવંતસિંહ કાળુભાઈ પટેલ, રતનસિંહ કાળુભાઈ પટેલ, રંગીતસિંહ કાળુભાઈ પટેલ, જનકભાઈ રંગીતસિંહ પટેલ, હર્ષદભાઈ રતનસિંહ પટેલ (તમાર રહે. ભથવાડા, ભુતીયા, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદનાઓએ દિલીપભાઈને બેફામ ગાળો બોલી કહેતાં હતાં કે, તારે તો બધુજ સહન કરવું પડશે, તેમ કહી ઉપરોક્ત તમામે દિલીપભાઈને ભતવાડા ભુતીયા ગામના એક રૂમમાં બંધ કરી માર મારીને, દિલીપભાઈના પરિવારજનોને મારવાની ધમકીઓ પણ આપતાં હતાં અને કહેતા હતાં હતા કે, કોઈને કહીશ તો મારી નાંખીશુ, ફસાવી દઈશુ, તારી નોકરી જતી રહેશે, તારા પરિવારજનોને જીવવા નહીં દઈએ, તેમ કહી ધાકધમકીઓ આપી અને વિશાલ (પંચેલા) નામક વ્યક્તિ દ્વારા પણ દિલીપભાઈને માર મારવાની તેમજ કોઈને વાત નહીં કહેવાની તેમજ સરકારી નોકરીમાંથી કઢાવી નાંખીશ તેવી ધમકીઓ આપી હીરલબેનને સપોર્ટ કરતો હતો. દિલીપભાઈને સતત આવા અમાનુષી ત્રાસ આપતાં દિલીપભાઈ કંટાઈ ગયાં હતાં અને આવા ત્રાસ, અત્યાચારથી કંટાળી જઈ પોતાની જીંદગી ટુંકાવી લેવા માટે અને મરી જવા માટે તારીખ ૦૬.૦૧.૨૦૨૨ના રોજ વહેલી સવારના ૦૬ વાગ્યાના આસપાસ ભથવાડા, ભુતીયા ગામના એક રૂમમાં કોઈ ઝેરી દવા ગટગટાવી લેતાં આ અંગેની જાણ દિલીપભાઈના પરિવારજનોને થતાં તેઓએ તાબડતોડ દિલીપભાઈને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં ત્યારે સારવાર દરમ્યાન દિલીપભાઈનું આજરોજ મોત નીપજતાં આ સંબંધે મૃતક દિલીપભાઈના ભાઈ પર્વતભાઈ ભેમાભાઈ પટેલે ઉપરોક્ત આઠેય ઈસમો વિરૂધ્ધ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————-