*ટીબી મુકત ભારત અભિયાન અર્તગત તલાટીશ્રીઓને સઘન અભિયાન માટે આહ્વાન*
૦૦૦
દાહોદ અને ઝાલોદ તાલુકા પંચાયત ખાતે આજ રોજ પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત અભિયાન 2025 અન્વયે જીલ્લા વિકાસ અધિકારીશ્રી અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારીશ્રીની હાજરીમા દરેક તલાટીશ્રીઓને ટીબી મુક્ત ગ્રામ પંચાયત વિશે માહિતગાર કર્યા હતા અનેb2025 સુધીમાં પંચાયતો અને ગામડાઓને ટીબી મુકત બનાવવાના ઉદ્દેશ્ય સાથે સર્વગ્રાહી અભિગમ સાથે અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું.
૦૦૦
