જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદમાં ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ મંત્રી ગણપત વસાવાના ફોટો હોળીમાં મૂકી દહન કરવામાં આવ્યા
વિધાન સભામાં આદિવાસી વિરુદ્ધ ટિપ્પણીને લઇ આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઇ
દાહોદ તા.29
દાહોદમાં આદિવાસી પરિવાર દ્વારા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને મંત્રી ગણપત વસાવાના પુતળાનું હોળીમાં દહન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા આદિવાસી સમાજ અંગે ગૃહમાં કરેલ ટીપ્પણીને લઈને આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. અને તેને પગલે આજ રોજ હોળીમાં બંને ના પુતળાનું દહન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રુમાં ચર્ચા દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, “ક્રિકેટ સ્ટેડિયમમાં આદિવાસી સમાજ ક્યાં મેચ જુવે છે..?” નીતિન પટેલના આ નિવેદન ઉપર વિધાનસભા ગૃહમાં આદિવાસી સમાજને થયેલ અન્યાય બાબતે સમાજના જ મંત્રી ગણપત વસાવાએ પણ મૌન ધારણ કર્યું હતું. અને કોઈ અવાજ નહિ ઉઠાવતા આદિવાસીઓ ગણપત વસાવા થી નારાજ થયા છે.