
મઝહર અલી મકરાણી :- દે.બારીયા
દાહોદ જિલ્લામાં ફટાકડાના ખરીદ વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણો મૂકાયા,દિવાળીના તહેવારો દરમિયાન રાત્રિના ૮-૦૦ થી ૧૦-૦૦ દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે
દાહોદ તા.09
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા સુપ્રિમ કોર્ટ દ્વારા જારી કરાયેલા હુકમથી કેટલીક સ્પષ્ટ સુચનાઓ તથા માર્ગદર્શિકાઓને ધ્યાને રાખી દાહોદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એમ. જે. દવે ભારતીય ફોજરારી કાયરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ ની કલમ ૩૩ (૧) બી અને યુ થી તેમને મળેલી સત્તાની રૂએ એક હુકમ દ્વારા દિવાળી તથા અન્ય તહેવારો દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ અકસ્માત તથા જાનહાનિના બનાવો ના બને અને જાહેર જનતાની સલામતી અને તેઓને અગવડ ન પડે તે માટે સમગ્ર દાહોદ જિલ્લામાં ફટાકડાના ખરીદ વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણો મૂકયા છે. આ હુકમ થી તા.૧/૧/૨૦૨૧ સુધી અમલી રહેશે.
શું વધી રહેલા વજનથી તમે ચિંતિત છો? તો આજે જ સંપર્ક કરો :- GREEN NUTRIZON
જે અનુસાર દિવાળીના તહેવારો દરમિયાન રાત્રીના ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાક દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે. હાનિકારક ધ્વની પ્રદુષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ધ્વની સ્તરવાળા જ ફટાકડા વેચી/વાપરી શકાશે. અને એવા અધિકૃત/માન્ય ફટાકડાના દરેક બોક્ષ ઉપર PESO ની સુચના પ્રમાણેનું માર્કિંગ હોવું જરૂરી છે.