દેવગઢ બારિયા નગરમાં આવેલ નાયક વાડા વિસ્તારમાં ભાજપના ગઢ ગણાતા એવા દે.બારીઆ નગરમાં આપ આદમી પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા ભાજપમાં ભૂકંપ જેવો માહોલ સર્જાયો છે. ભાજપની વ્હાલા દવલાની નીતિના કારણે બારીઆ નગરમાં પહેલાથી ભાજપ સામે નારાજગી ચાલી રહી છે ત્યારે હાલ આવનારી ચૂંટણીને લઇ દરેક પાર્ટીઓ દ્વારા કમર કસી આવનારા નગરપાલિકાના ચૂંટણીની તૈયારીઓમાં જોતરાઇ ગયા છે. તારે આવનારી આગામી નગરપાલિકા તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કેવા પરિણામ આવશે તે હાલ કહેવું મુશ્કેલ ભર્યું લાગી રહ્યું છે.