Friday, 29/03/2024
Dark Mode

સિંગવડ સિંગવડ તાલુકાના ઘણા ગરીબ પરિવાર પ્રધાનમંત્રી આવાસથી વંચિત.

March 2, 2022
        2456
સિંગવડ સિંગવડ તાલુકાના ઘણા ગરીબ પરિવાર પ્રધાનમંત્રી આવાસથી વંચિત.

કલ્પેશ શાહ :- સીંગવડ

સિંગવડ સિંગવડ તાલુકાના ઘણા ગરીબ પરિવાર પ્રધાનમંત્રી આવાસથી વંચિત:

સીંગવડ તા.02

સિંગવડ તાલુકા માં પ્રધાનમંત્રી આવાસ થી ઘણા પરિવારો વંચિત રહ્યા છે જ્યારે સરકાર દ્વારા ગરીબ પરિવારોને કાચા મકાનમાંથી પાકા મકાનમાં રહેવા માટે રહેવાની યોજના આપવામાં આવે છે પરંતુ આ યોજનાનો લાભ તો પાકા મકાન વાળા ને આપવામાં આવે છે તેમ લોકોનું કહેવું છે સરકાર દ્વારા મળતા પ્રધાનમંત્રી આવાસ યોજના ખરેખર મળવા યોગ્ય હોય તેવા લોકોને આપવામાં આવે તો આજે ગરીબ લોકોને કાચા મકાનમાં હજુ સુધી રહેવાનો વારો આવ્યો છે તેવા ગરીબ લોકોના મકાન પાકા થઈ રહેવા લાગે તેમ છે પરંતુ સરકારશ્રીની સ્કીમ તો જેના મકાન પાકા હોય તેવા લોકો માટે છે તેમ લાગી રહ્યું છે જો ખરેખર આ પ્રધાનમંત્રી આવાસોનો સાચી રીતે અને સ્પષ્ટ દેખવામાં આવે તો ઘણા લોકોને આ પ્રધાનમંત્રી આવાસ યોજના લાભ મળી શકે તેમ છે પરંતુ આ પ્રધાનમંત્રી આવાસ લાગતા વળગતાને મળી જાય છે અને ગરીબ પ્રજા તેમની તેમ રહી જાય છે સિંગવડ તાલુકા ના બધા જ ગામમાં પ્રધાનમંત્રી આવાસ માટે સર્વે કરવામાં આવે તો હજુ ઘણા લોકો આવાસથી વંચિત હોય તેમ લાગી રહ્યું છે જેમને આજદિન સુધી સરકારી કોઈ પણ લાભ મળેલ નથી જ્યારે સરકાર દ્વારા આ પ્રધાનમંત્રી આવાસ નો લાભ એક જ વખત આપવામાં આવે અને બીજી વખત નહીં આપવામાં આવે તો સર્વેને મળી શકે તેમ છે પરંતુ જેને પ્રધાનમંત્રી આવાસ નો લાભ લીધો છે તેવા લોકોને આવાસનો લાભ ફરીથી મળે છે જ્યારે ગઈ વખતે પ્રોગ્રામમાં ઘણા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ઓર્ડર આપી દેવામાં આવ્યા હતા પરંતુ તેમાંના ઘણા લાભાર્થીઓ આજદિન સુધી પહેલો હપ્તો ચૂકવવામાં આવ્યો નથી જ્યારે આજ સમય લીધેલા ઘણા લાભાર્થીઓના ઓર્ડર મળ્યા હતા તેમના ત્રણ હપ્તા ચૂકવી દેવામાં આવ્યા છે ખરેખર આ એક કાચા મકાન વાળા ને આપવાની સ્કીમ નથી અને પાકા મકાન હોય તેને આપવાની સરકારની સ્કીમ હોય તેમ લોકોનું કહેવું છે જ્યારે હજુ પણ ઘણા ગરીબ લોકો કાચા નળિયાવાળા મકાન તથા પ્લાસ્ટિકની ટાટ પટ્ટી બાંધીને ગામડામાં રહેવાનો વારો આવ્યો છે જેમને આજદિન સુધી કોઇ પણ પ્રધાનમંત્રી આવાસ નો લાભ મળ્યો જ નથી જ્યારે આના માટે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ કરીને જેમને આ પ્રધાનમંત્રી આવાસ યોજના લાભ મળેલ નથી તેવા લોકોને આપવામાં આવે તેવી લોકોની માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!