
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી હિરોલા ગામે આકાશી વીજળી પડતા બે મૂંગા પશુઓના મોત,પશુપાલકોમાં ફફડાટ.
સંજેલી તા.18
સંજેલી તાલુકાના હિરોલા ગામ ખાતે પાંડી ફળીયામા સંગાડા રમસુભાઈ મેતાભાઈના ઘરની આગળ ઢાળીયામાં વીજળી પડવાથી બે પશુઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા સંજેલી તાલુકા ના બીજેપી પાર્ટીના આદિજાતિ મોરચાના પ્રમુખ અલ્કેશ કટારાએ સ્થળ પર જઈ સ્થળ તપાસણી કરી હતી અને ત્યાં જઈ જોતા બે બળદ વીજળી પડવાના લીધે મૃત્યુ પામ્યા હતા અને ઘરની બહાર હલેડાનુ ઝાડ ફાટી ચીછડા થયેલ જોવા મળ્યું હતું. સમસુભાઈના ખેતી માટે જરૂરી બે બળદ મરી જતાં તેમણે સરકાર પાસે મદદ માટે માંગણી કરેલ છે, મોડી રાત્રીએ અચાનક વીજળી ત્રાટકતા બે બળદના મોત નિપજ્યા હતા,