Friday, 18/10/2024
Dark Mode

લીમડી નગરના કતલખાના બંધ કરાવવા અંગે બી.પી અગ્રવાલ હાઈસ્કૂલ ખાતે ગ્રામસભા યોજાઈ

March 4, 2023
        500
લીમડી નગરના કતલખાના બંધ કરાવવા અંગે બી.પી અગ્રવાલ હાઈસ્કૂલ ખાતે ગ્રામસભા યોજાઈ

સુમિત વણઝારા :- લીમડી

લીમડી નગરના કતલખાના બંધ કરાવવા અંગે બી.પી અગ્રવાલ હાઈસ્કૂલ ખાતે ગ્રામસભા યોજાઈ

લીમડી નગર તલાટી દ્વારા સાત દિવસમાં માસ-મટનની દુકાન બંધ કરવા જાહેર કરવામાં આવ્યું 

લીમડી તા.04

   લીમડી નગરમાં ઘણા દિવસથી માંસ મટનની દુકાન બંધ કરવા માંગ કરવામાં આવી રહેલ હતી. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ડબગર સમાજ અને નગરજનો દ્વારા આ અંગે અવારનવાર માંગ કરવામાં આવી હતી. તે અન્વયે આજરોજ લીમડી નગરની બી.પી. અગ્રવાલ હાઈસ્કૂલ ખાતે એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ લીમડી નગરમાં મંદિરની આજુબાજુ આવેલ કતલખાના બંધ કરવા માટે માંગ કરવામાં આવી હતી. આ ગ્રામસભામાં મોટી સંખ્યામાં લીમડી નગરના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોની રજૂઆતના અન્વયે આજ રોજ લીમડી નગરના તલાટી દ્વારા જેમની પાસે માંસ મટનની દુકાન ચલાવવા અંગે લાઇસન્સ નથી તે અનુસંધાને લેખિત સ્વરૂપમાં તાલુકામાં એક કોપી તેમજ એસ.પી ઓફિસ ખાતે એક કૉપી મોકલવામાં આવનાર છે તેમજ દુકાનદારોને જે ગેરકાયદેસર કતલખાના કે માંસ મટનનો વેપાર કરે છે તેમણે રહેણાંક વિસ્તાર તેમજ ધાર્મિક સ્થળો થી દૂર વ્યાપાર કરવા માટે કહેવાસે તેમજ તે દુકાનો ચલાવવા માટે તલાટી તેમજ દાહોદ એસ.પી કચેરી ખાતેથી લેખિત મંજૂરી લેવાની રહેશે. માંસ મટનની દુકાન ચલાવવા માટે સરકારના તમામ નિયમોનુ પાલન કરવાનું રહેશે. તેવું લીમડી નગરના તલાટી દ્વારા કહેવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!