Friday, 11/07/2025
Dark Mode

દાહોદમાં આવતીકાલે ભગવાન શ્રી જગન્નાથજી નગરચર્યાએ નીકળશે: વહીવટી તંત્ર તેમજ રથયાત્રા સમિતિ દ્દ્વારા તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ..

June 30, 2022
        680
દાહોદમાં આવતીકાલે ભગવાન શ્રી જગન્નાથજી નગરચર્યાએ નીકળશે: વહીવટી તંત્ર તેમજ રથયાત્રા સમિતિ દ્દ્વારા તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ..

રાજેશ વસાવે, દાહોદ

 

દાહોદમાં આવતીકાલે ભગવાન શ્રી જગન્નાથજી નગરચર્યાએ નીકળશે: વહીવટી તંત્ર તેમજ રથયાત્રા સમિતિ દ્દ્વારા તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ..

 

દાહોદ તા.૩૦

 

દાહોદમાં ૧૫મી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દાહોદમાં હનુમાન બજાર સ્થિત રણછોડ મંદિરેથી આવતીકાલે અષાઢી બીજે નીકળનારી રથયાત્રામાં બે ઘોડા, મહાદેવ, શેષનાગ, અખાડો, જય જવાન જય કિશાન ટેબ્લો, બેન્ડવાજા, ભસ્મ રમૈયા ડમરૂં, શહનાઈ, ભગવાન રાધાકૃષ્ણની ઝાંખી, રામ દરબાર, હનુમાન કવીરાજ ઢોલ, હરે રામ હરે કૃષ્ણ મંડળ, મારેલા મંડળો વિગેરે જાેશે. રથયાત્રામાં ૨૦૦ કીલો મગ તથા ૫૦૦ કીલો જાંબુના પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.

 

દાહોદમાં બે વર્ષ પછી ભગવાન શ્રી જગન્નાથજી નગર ચર્યાએ નીકળવાના છે તેને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે પરંતુ કોરોના કાળમાં ભક્તોને ઘરે બેઠે દર્શનનો લાભ મળ્યો હતો પરંતુ લોકો ભગવાનની નગર ચર્યામાં જાેડાઈ ચુક્યાં ન હતાં. દાહોદમાં ૧૫મી રથયાત્રાને લઈ મોસાળમાં ભારે ઉત્સાહ, ઉમંગ સાથે રથયાત્રા આવકારવા માટે રાહ જાેઈ રહ્યાં છે. કોરોના મહામારીને કારણે સતત બે વર્ષ સુધી શ્રધ્ધાળુઓ રથયાત્રામાં જાેડાઈ શક્યા ન હોઈ સાથેજ મોસાળમાં પણ રથયાત્રાનું સ્વાગત કરવા માટે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલ તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ૧૫મી રથયાત્રા શાંતિપુર્ણ માહોલમાં સંમ્પન્ન થાય અને શહેરમાં અમન અને શાંતી જળવાઈ રહે તે માટે રથયાત્રા દરમ્યાન એક એસ.એસ.પી., ડી.વાય.એસ.પી., ૪ પી.આઈ., ૩૧ પી.એસ.આઈ., ૬૪ જેટલા એ.એસ.આઈ., ૧૪૫ જેટલા જી.આર.ડી. જવાન, ૮૬ પોલીસ કોન્સ્ટેબલ, ૧૦૦ જેટલા એસ.આર.પી. જવાન, ૧૪૫ જેટલા હોમગાર્ડ જવાન ૬૯ જેટલા ટી.આર.બી. જવાન તથા ૩૩ જેટલી મારેલા પોલીસ મળી કુલ ૬૭૮ જેટલા પોલીસ અધિકારી, કર્મચારીઓ ખડેપગે તૈનાત રહેશે. રથયાત્રાના રૂટમાં ફીક્સ પોઈન્ટ, ટ્રાફિક પોઈન્ટ, ધાબા પોઈન્ટ, ડીપ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યાં છે. રથયાત્રામાં પુશીંગ સ્કોવર્ડ, મોરચા સ્કોવર્ડ, મોબાઈલ પેટ્રોલીંગ, ઘોડે સવાર પાર્ટી વિગેરે રહેશે અને રથયાત્રા ઉપર નજર રાખશે. રથયાત્રામાં અખાડાના હેરત ભર્યા દાવ, જય જવાન જય કિશાન ટેબ્લો, રાધા કૃષ્ણની ઝાંખી, ભસ્મ રમૈયાનું ડમરૂ, રામ દરબાર ઈન્દૌરથી આવેલ હનુમાનજી તથા વાનરો આકર્ષણનું કેન્દ્ર બનશે. સવારે સાડા આઠ વાગ્યાના સમયે મહાનુભવો દ્વારા પહીંદ વિધી તથા મહા આરતી કરવામાં આવશે ત્યાર બાદ નવ વાગ્યે મહાનુભવો દ્વારા રથનું પ્રસ્થાન કરાવવામાં આવશે ત્યાર બાદ રથયાત્રા હનુમાન બજાર થઈ એ.પી.એમ.સી. પહોંચશે. સાડા દશ વાગ્યે સરદાર પટેલ ચોક (પડાવ) થઈ પીપળીયા હનુમાનજી થઈ દૌલંતગંજ બજાર થઈ ગૌશાળા પહોંચશે ત્યાથી બપોરના સવાર બાર વાગ્યે સોનીવાડ રાધા કૃષ્ણ મંદિરે ભગવાન વિસામો લેશે અને ત્યાં ભગવાનની આરતી થશે તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે અને તેમાં હજારોની સંખ્યામાં ભક્તો મહા પ્રસાદનો લાભ લેશે. એક કલાકના વિસામા બાદ પુનઃ રથયાત્રા શરૂં થઈ આગળ વધી મંડાવાવ ચોક, ગોવિંદ નગર ચોક, ઠક્કર બાપા સર્કલ, માણેક ચોક દેસાઈવાડા (જનતા ચોક), એમ.જી. રોડ, નગરપાલિકા ચોક, નેતાજી બજાર થઈ હનુમાન બજાર થઈ સાંજના છ વાગ્યે રથયાત્રા નીજ મંદિરે પરત આવશે જ્યાં ભગવાન જગન્નાથજીની આરતી થયાં બાદ રથયાત્રા સમાપન થશે. રથયાત્રાના રૂટ પર યાત્રા દરમ્યાન ઠેર ઠેર ઠંડા પીણા, અલ્પાહાર વિગેરેના સ્ટોલ દરેક સમાજ દ્વારા ઉભા કરવામાં આવશે તેથી મોટામાં મોટી સંખ્યામાં ભાવિકો રથયાત્રામાં જાેડાય તે માટે રથયાત્રા સમિતિ દાહોદ દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!