રાજેશ વસાવે, દાહોદ
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી સંઘના નેજા હેઠળ દાહોદના આરોગ્ય કર્મચારીઓ એ જિલ્લા પંચાયતની બહાર ધરણા યોજ્યા…
દાહોદ
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના દાહોદના આરોગ્ય કર્મચારીઓ દ્વારા આજરોજ પોતાની વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે દાહોદ જિલ્લા પંચાયતની બહાર ધરણા પ્રદર્શન યોજી વિરોધ પ્રદર્શન કરી આગામી દિવસોમાં ગાંધી ચિન્ધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી હતી.
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના દાહોદ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા આજરોજ પોતાની વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે દાહોદ જિલ્લા પંચાયતની બહાર ધરણા પ્રદર્શન યોજ્યું હતું. ધરણાં પ્રદર્શનમાં સુત્રોચ્ચારો પણ કરવામાં આવ્યાં હતાં. પોતાની વિવિધ પડતર માંગણીઓમાં જણાવ્યાં અનુસાર, ગ્રેડ પેમાં સુધારો, પગાર ધોરણ વધારવા, કોરોના વોરિયર્સ તરીકેનું ભથ્થુ વિગેરે જેવા વિવિધ પ્રશ્નો પડતર હોવાનું જણાવ્યુું હતું અને આ તમામ પડતર પ્રશ્નોનું ત્વરીત નિરાકરણ આવે તેવી માંગણી કરી હતી. સરકાર સમક્ષ આ મામલે અનેકવાર રજુઆતો કરવા છતાંય સરકાર દ્વારા આરોગ્ય કર્મચારીઓના હિતમાં કોઈ નિર્ણય લેવામાં ન આવતાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલનના માર્ગે જવાનું નક્કી કર્યું છે જેમાં કામગીરી ચાલુ અને રિપોર્ટીંગ બંધ, તારીખ ૨૭,૩૦મી જુન અને ૦૪ જુલાઈના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે.