Thursday, 28/03/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે જુદા-જુદા બનાવોમાં બેના મોત:ત્રણ ઈજાગ્રસ્ત…

May 20, 2022
        1149
દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે જુદા-જુદા બનાવોમાં બેના મોત:ત્રણ ઈજાગ્રસ્ત…

રાજેશ વસાવે, દાહોદ

 

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે જુદા-જુદા બનાવોમાં બેના મોત:ત્રણ ઈજાગ્રસ્ત..

 

દાહોદ તા.૨૦

 

દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્મતાના બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાંનું જ્યારે ત્રણ વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચતાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાયાંનું જાણવા મળે છે.

 

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દેવગઢ બારીઆ તાલુકાના ભુલર ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૯મી મેના રોજ લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામે રહેતાં અશ્વિનકુમાર તેમની પત્નિ મોનીકાબેન તથા પુત્ર મિતેશભાઈ એમ એક દંપતિ એક મોટરસાઈકલ પર સવાર થઈ ભુલર ગામેથી પસાર થઈ રહ્યું હતું. આ દરમ્યાન એક બોલેરો પીકઅપ ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી અશ્વિનભાઈની મોટરસાઈકલને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં મોટરસાઈકલ પર સવાર ત્રણેય જણા જમીન પર ફંગોળાયાં હતાં જેને પગલે અશ્વિનભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું જ્યારે તેમની પત્નિ મોનીકાબેન અને પુત્ર મિતેશને પણ શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ સંબંધે લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામે રહેતાં જેસીંગભાઈ રૂપસીંગભાઈ ડાંગીએ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

માર્ગ અકસ્માતનો બીજાે બનાવ દાહોદ તાલુકાના જાલત ગામે ખાન નદીના પુલ પાસે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૯મી મેના રોજ મધ્યપ્રદેશના રાણાપુર તાલુકામાં ધામનીમચના, પુજારા ફળિયામાં રહેતાં આશિષભાઈ કાળુભાઈ ડામોર અને ઈશ્વરભાઈ નાનુભાઈ ગુંડીયા એમ બંન્ને જણા મોટરસાઈકલ લઈ જાલત ગામેથી ખાન નદી પાસેથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટરસાઈકલને પાછળથી ટક્કર મારતાં મોટરસાઈકલની પાછળ બેઠેલ આશિષભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ નજીકમાં આવેલ ખાન નદીમાં પટકાતાં તેઓને મોત નીપજ્યું હતું જ્યારે ઈશ્વરભાઈને પણ ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ સંબંધે મધ્યપ્રદેશના રાણાપુર તાલુકાના ધામનીમચના, પુજારા ફળિયા ખાતે રહેતાં નાનસિંગભાઈ ખમસીંગભાઈ ડામોરે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!