દાહોદના આચાર્ય રાજા શાસ્ત્રીએ નાની ઉંમરમાં સૌથી વધુ યજ્ઞ કરવાનો રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાતા મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરાયા..
દાહોદ શહેરના રહેવાસી ડૉ રાજા શાસ્ત્રી એ અને તેમના સાથી પંડિતો દ્રારા નાની ઉમરમાં ગુજરાત જ નહી પરંતુ ભારત દેશમાં સહીત વિદેશોમાં પણ રૂદ્ર યાંગ લક્ષ્મી યાગ વિષ્ણુ યાગ ગણેશ યાગ શહસ્ત્ર ચંડી જેવા 14 હજારથી પણ વધુ યજ્ઞય કરાવતા તેઓનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું તે અંતર્ગત ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ દ્રારા તેઓને એવોર્ડ તેમજ સિલ્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા દાહોદના આચાર્ય રાજા શાસ્ત્રી એ આટલી નાની ઉંમરમાં યજ્ઞ સમ્રાટ ની ઉપાધિ પ્રાપ્ત કરી નાની ઉંમરમાંજ 14 હજારથી પણ વધુ યજ્ઞ કરાવી ભારત જ નહી પરંતુ વિદેશોમાં પણ ભારત દેશનો ડંકો વગાડી તેમને ભારત દેશને ગૌરવ પ્રાપ્ત કરાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ડો રાજા શાસ્ત્રીએ જગતગુરુ માધવાચાર્યજી પાસે કર્મકાંડ અંગેની તાલીમ લીધી હતી. તો નાગપુર ઓમકારેશ્વર વિશ્વ વિધાલયથી યજ્ઞ પર પીએચડી કરી હતી. તેમજ તેઓએ માત્ર 14 વર્ષની વયે જ કર્મકાંડ સહીત વિવિધ પ્રકારના યજ્ઞ કરવાની શરૂઆત કરી હતી. પોતે અને પોતાની ટીમ સાથે 36 વર્ષ સુધીમાં એટલે કે હાલ સુધીમાં 14,000 કરતા યજ્ઞો કરીને ગ્રીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવી માત્ર દાહોદ નહિ પણ ગુજરાત ને પણ ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે. દાહોદના યુવાન રાજા ભાઈ શાસ્ત્રીએ જ્યોતિષ આચાર્યાની પણ અનેક પદવીઓ પ્રાપ્ત કરેલી છે. દાહોદ ને ગૌરવ પ્રાપ્ત કરાવનાર રાજાભાઈ શાસ્ત્રીને અનેક સંસ્થાઓ અને અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા છે.