
રાજેશ વસાવે :- દાહોદ
મનરેગામાં 71 કરોડના અધુરા કામો પૂર્ણ બતાવી આચરેલા કરોડોના ખેલમાં…
ધાનપુર- દે.બારીયા મનરેગા કૌભાંડમાં મનરેગાના કરાર આધારિત 4 કર્મચારીઓની ધરપકડ,
બિનપાત્રતા ધરાવતી એજન્સી તેમજ મનરેગાના કર્મચારીઓ ફરતે ગાળિયો કસાયો..
દાહોદ તા.25
દાહોદ જિલ્લાના બે તાલુકાના ત્રણ ગામોમાં મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી (મનરેગા ) llઅંતર્ગત થયેલા 71 કરોડના કામોમાં ગેરેરીતિ આચરાઈ હોવાની સ્ફોટક માહિતીઓ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરાયેલ તપાસમાં ખુલવા પામી છે .આ મામલે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવતા પોલીસે દે. બારીયા તેમજ ધાનપુરના મનરેગા શાખામાં ફરજ બજાવતા બે એકાઉન્ટ આસિસ્ટન્ટ તેમજ બે GRS એટલે કે ગ્રામ રોજગાર સેવકની ધરપકડ કરતા દાહોદ જીલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મનરેગાના કામોમાં ત્રણ ગામોમાં ગેરરીતિ મામલે જિલ્લા વિકાસ અધિકારીને ધ્યાને આવ્યું હતું.જે બાદ DDO મારફતે પંચાયતના અધિકારીઓ તેમજ પ્રોગ્રામ ઓફિસર દ્વારા ત્રણ ગામોમાં સ્થળ તપાસ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવતા બે જૂદી જૂદી પ્રકારની ગેરરીતિઓ સામે આવી હતી. જેના અનુસંધાને વચગાળાના અહેવાલના આધારે આ મામલે દેવગઢ બારીયા ની 28 તેમજ ધાનપુરની 7 મળી કુલ 35 જેટલી માલ સપ્લાય કરતી એજન્સી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે આ મનરેગા કૌભાંડમાં તલસ્પર્શી તપાસ બાદ જે તે પ્રોપરાઇટર, કર્મચારીઓ, અધિકારીઓ તેમજ કરાર આધારિત કર્મીઓ વિરુદ્ધ આગળ જતા ગુના દાખલ થવાની આશંકાઓ સેવાઈ રહી છે.
દેવગઢ બારીયાના રૈયાણા, કુવા તેમજ ધાનપુરના સીમામોઇ ગામમાં મનડાના કૌભાંડમાં અલગ અલગ થઈ હોવાનું તપાસમાં બહાર આવતા વડવાળા ના અહેવાલ બાદ DRDA નિયામક દ્વારા ગુનો દાખલ કરાવતા પોલીસે પ્રારંભિક તપાસમાં દેવગઢ બારીયા શાખાના મહિપાલસિંહ ચૌહાણ અકાઉન્ટ આસિસ્ટન્ટ , ધાનપુરના મનરેગા શાખાના એકાઉન્ટ આસિસ્ટન્ટ જયવીર નાગોરી તેમજ બારીયા તથા ધાનપુરના ગ્રામ રોજગાર સેવક બારીયા ફુલ સિંહ રમેશભાઈ તેમજ મંગળ ભાવસિંહની ધરપકડ કરી છે. તેમજ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે. ઉપરોક્ત ધરપકડ કરાયેલા કરાર આધારિત કર્મચારીઓએ સરકારી રાહે મળેલી સત્તાઓ તેમજ તેમના પદનો દુરુપયોગ કરી ફરજમાં નિષ્કાળજી દાખવી એજન્સી જોડે મેળાપીપણા કરી સરકારની તિજોરી ને ચૂનો ચોપડી મનરેગાના કામોમાં કૌભાંડ આચર્યું હોવાની સ્પોટક માહિતીઓ સપાટી પર આવી છે..
*ધરપકડ કરાયેલા ગ્રામ રોજગાર સેવકોના સેજામાં આવતા ગામોમાં થયેલ કામોની પણ સ્થળ તપાસણી થશે.*
પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા ગ્રામ રોજગાર સેવક ફુલસિંગ બારીયા તેમજ મંગળ ભાવસિંહના સેજામાં આવતા ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોની સ્થળ તપાસણી કરવામાં આવશે ઉપરોક્ત ધરપકડ કરાયેલા બંને ગ્રામ રોજગાર સેવકોના સેજા હેઠળ 8 થી 10 ગામો આવતા હતા.જેમાં ફુલસિંગ બારીયાના સેજામાં ભૂલવણ, કુવા, રૈયાણા, કાળીયાગોટા, સહિતના ગામો તેમજ ધાનપુરના ગ્રામ રોજગાર સેવકના સેજામાં પણ 8 થી 10 ગામો આવે છે. હવે પોલીસ તેમજ પંચાયતની નિયુક્ત કરાયેલી ટીમો ઉપરોક્ત ગ્રામ રોજગાર સેવકના સેજા વાઇસ થયેલ કામોના ડોક્યુમેન્ટ વેરીફિકેશન, જળ ચકાસણી કરશે..
*મનરેગામાં કામોમાં પોલીસ અને પંચાયતની ટીમો આ બિંદુઓ ઉપર તપાસ કરશે.*
મનરેગા અંતર્ગત ત્રણ ગામોમાં થયેલા કામોમાં સ્થળ તપાસ કરવામાં આવી હતી.જેમાં સ્થળ પર કરેલા કામોમાં કોઈમાં 20 ટકા, કોઈમાં 30 ટકા કામ કરી તેમને કાગળ પર 100 ટકા પૂર્ણ બતાવી બિલ ચૂકવાઈ ગયા હતા. તેમજ સરકાર દ્વારા નક્કી કરેલા કામોમાં જે એજન્સીઓએ L1 માં સામેલ હતી. તેમની જગ્યાએ બિન પાત્રતા ધરાવતી એજન્સી જેઓએ કોઈ ટેન્ડરિંગ પ્રક્રિયામાં ભાગ લીધો નહોતો. તે એજન્સીઓને નિયમ વિરુદ્ધ જઈ ચુકવણા કરી દેવામાં આવ્યા હોવાનું કોટક માહિતી સામે આવી છે ત્યારે હવે પોલીસ અને પંચાયતની ટીમો આ બંને મુદ્દાઓ પર તલસ્પર્શી તપાસ હાથ ધરશે.ઉપરોક્ત મનરેગામાં થયેલી ગેરરીતિમાં જો એજન્સીઓ ભલે બિન પાત્રતા ધરાવતી હતી. પરંતુ જો એમને સો ટકા માલ સપ્લાય કર્યું હશે.તો વહીવટી બેદરકારી ગણાશે. તેમજ કામ કરનાર એજન્સીએ માલ સામાન લીધા બાદ પણ કામ ન કર્યું હશે.અથવા બિલપાત્રતા ધરાવતી હોય એ માલસામાન પૂરું ન પડ્યો હશે તો.વહીવટી બેદરકારીની સાથે ફોજદારી ગુનો પણ દાખલ થશે.
*નામો તો હોય જ પણ હાલ મારી પાસે નથી :- સ્મિત લોઢા, (જીલ્લા વિકાસ અધિકારી)*
દાહોદના જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા સાથે એજન્સીના પ્રોપરાઇટરના નામો મેળવવા ટેલિફોનિક વાતચીત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, આ ઇન્વેસિટગેશનનો સબ્જેક્ટ છે. નામ તો હોય જ પણ તે હાલ મારી પાસે નથી.
*જિલ્લા પંચાયત તપાસ કરીને નામો આપશે :- જગદીશ ભંડારી,(dysp દાહોદ તેમજ તપાસ અધિકારી)*
ફરિયાદમાં એજન્સીઓના નામ છે. આ એજન્સીઓનું કેટલું અને શું ઇન્વોલમેન્ટ છે તેની તપાસ જિલ્લા પંચાયત દ્વારા કરાશે. તેમનો અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે. ફરિયાદમાં એજન્સીના નામો છે. હાલ નામો અમારી પાસે નથી. જિલ્લા પંચાયત તપાસ બાદ પ્રોપરાઇટરના નામો અમને આપશે.
*2012થી બંને કર્મચારીની અસર-પરસ બદલી થાય છે..*
નકલી કચેરી હોય, એનએ કૌભાંડ હોય કે મનરેગા કૌભાંડ હોય સરકારી કર્મચારીઓની મદદ વગર તે શક્ય નથી. ત્યારે હાલ દેવગઢ બારિયા તાલુકા પંચાયતમાં એકાઉન્ટ આસિ. તરીકે ફરજાધિન મહિપાલસિંહ ચૌહાણ અને ધાનપુર તાલુકા પંચાયતમાં એકાઉન્ટ આસિ. તરીકે ફરજાધિન જયવીર નાગોરી વર્ષ 2012-13થી ફરજ બજાવે છે. આ બંને અત્યાર સુધી દેવગઢ બારિયાથી ધાનપુર અને ધાનપુરથી દેવગઢ બારિયા અરસ-પરસ જ બદલાયા છે. છેલ્લા 12 વર્ષથી બંનેએ અન્ય કોઇ તાલુકામાં બદલવામાં આવ્યા જ નહોવાનું જાણવા મળ્યુ છે.
*એલ 1માં ન હોય તેવી કઇ એજન્સીને કયા વર્ષમાં કેટલા રૂપિયા ચૂકવાયા તે અસ્પષ્ટ*
મનરેગા કૌભાંડની પોલીસ ફરિયાદમાં 2021થી 2024 સુધીની 35 એજન્સીને 71 કરોડ રૂપિયા ચૂકવાયા હોવાનું દર્શાવાયુ છે. જોકે, વર્ષ 2021થી વર્ષ 2024 સુધી મનરેગામાં માલ સપ્લાય માટે બે વખત ટેન્ડરીંગ કરાયુ છે. વર્ષ 2021-22માં ટેન્ડર બાદ 2022-23માં તે કન્ટીન્યૂ કરાયુ હતું. 2024માં ફરી આ માટે ટેન્ડર કરાયુ હતું. જોકે, પોલીસ ફરિયાદમાં તમામ 35 એજન્સીઓનું લિસ્ટ દર્શાવાયુ છે. તેમાં પાછલા વર્ષોમાં એલ1માં હતી તેવી એજન્સીઓ પણ છે. એલ1માં હતી તે એજન્સીઓનું લિસ્ટ બનાવી તેમાં 2021થી ચૂકવાયેલી રકમ લખી દેવાઇ છે. ત્યારે ખરેખર 2021થી 2024 સુધી કઇ-કઇ એજન્સી ખરેખર એલ1માં નથી અને તેમને કેટલા રૂપિયા ચૂકવાયા તેની છણાવટ કરાઇ નથી..
*મનરેગા 260 જગ્યાઓ ઉપર કામો પ્રગતિમાં: મનરેગા કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણીની આશંકા.!!*
મહાત્મા ગાંધી રોજગાર યોજના ગેરેન્ટીમાં દાહોદ જિલ્લામાં અત્યારે 260 જેટલા કામો ચાલી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્રની પ્રારંભિક તપાસમાં જો ત્રણ ગામોમાં જ 71 કરોડના કામોમાં ગેરેરીતિ સામે આવી છે ત્યારે દાહોદ જિલ્લામાં ચાલી રહેલ તમામ કામોમાં ધરવામાં આવે તો ગેરરીતિનો આંકડો ક્યાં જઈને અટકશે. તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. જોકે આ પકડાયેલા કૌભાંડમાં મોટામાથાઓની સંડોવણી પણ નકારી શકાય તેમ નથી. ત્યારે આગામી સમયમાં આ માલ સપ્લાય કરતી એજન્સીના પ્રોપરરાઇટર કોણ છે. તેમના રાજનેતાઓ અને અધિકારીઓ જોડે કેવા પ્રકારના કનેક્શન છે. તે મહત્વપૂર્ણ બની રહેશે.
* આ ચાર પ્રકારની તપાસથી કૌભાંડની દિશા અને દશા નક્કી કરાશે..*
*કામની અધૂરી પૂર્ણતા છતાં સંપૂર્ણ ચૂકવણી..*
મનરેગા હેઠળ પસંદ કરાયેલા ત્રણ ગામોમાં થયેલા કામોની સ્થળ તપાસ કરતા ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે. ઘણા કામોમાં ભૌતિક રીતે ફક્ત 20 થી 30 ટકા જ કામ થયું હતું, તેમ છતાં તેને કાગળ પર 100 ટકા પૂર્ણ થયેલું બતાવી દેવામાં આવ્યું હતું અને તેના સંપૂર્ણ બિલની ચૂકવણી પણ કરી દેવાઈ હતી. આ બાબત દર્શાવે છે કે કામ ખરેખર થયું ન હોવા છતાં સરકારી નાણાં ચૂકવી દેવાયા છે.
*બિન-પાત્ર એજન્સીઓને ગેરકાયદેસર ચૂકવણી.*
સરકારી નિયમો અને ટેન્ડરિંગ પ્રક્રિયા મુજબ જે એજન્સીઓ L1 (સૌથી ઓછો ભાવ ભરનાર) તરીકે પાત્ર ઠરે છે, તેમને જ કામ અથવા માલ સપ્લાયનો ઓર્ડર આપવાનો હોય છે. જોકે, આ કૌભાંડમાં એવી એજન્સીઓને પણ નિયમ વિરુદ્ધ જઈને ચૂકવણી કરી દેવામાં આવી હતી કે જેમણે કોઈપણ ટેન્ડરિંગ પ્રક્રિયામાં ભાગ લીધો ન હતો અને જેઓ કામ માટે બિન-પાત્રતા ધરાવતી હતી. નિયમોની ખુલ્લેઆમ અવગણના કરી ખોટી એજન્સીઓને ચૂકવણી કરવામાં આવી છે.
*3 કઇ રીતે વહીવટી બેદરકારી મનાશે..*
જો કોઈ એજન્સી ભલે નિયમાનુસાર પાત્રતા ધરાવતી ન હોય અને તેને ચૂકવણી કરવામાં આવી હોય પરંતુ જો તેણે ખરેખર નિર્ધારિત માલસામાનનો 100% સપ્લાય કર્યા હોય તો આ કિસ્સામાં તેને મુખ્યત્વે એજન્સી પસંદગી કે ચૂકવણીના નિયમોના ભંગ બદલ વહીવટી બેદરકારી તરીકે ગણવામાં આવશે.
*4 કઇ રીતે ફોજદારી ગુનો મનાશે.*
જો એજન્સીએ માલસામાન સપ્લાય કર્યા વગર કે કામ પૂર્ણ કર્યા વગર જ 100% ચૂકવણી મેળવી લીધી હોય, અથવા અધૂરા કામ,માલસામાન માટે સંપૂર્ણ બિલ રજૂ કરી ચૂકવણી મેળવી હોય, તો તે માત્ર વહીવટી બેદરકારી નથી. આવા કિસ્સામાં સ્પષ્ટપણે છેતરપિંડી, વિશ્વાસઘાત અને સરકારી નાણાંના દુરૂપયોગનો ફોજદારી ગુનો બનશે અને તેમાં સંડોવાયેલા તમામ એજન્સીધારકો, સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ સામે કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.