સંતરામપુર નગરમાં ભૂગર ગટર સક્રિય ન હોવા છતાં સુખી નદીમાં ભૂગર ગટરની ચેમ્બરો ઉભરાઇ 

Editor Dahod Live
2 Min Read

ઈલિયાશ શેખ :- સંતરામપુરપૂર

સંતરામપુર નગરમાં ભૂગર ગટર સક્રિય ન હોવા છતાં સુખી નદીમાં ભૂગર ગટરની ચેમ્બરો ઉભરાઇ 

ધાર્મિક સ્થળની બાજુમાં જ ફેલાયેલું દુર્ગંધ શ્રદ્ધાળુમાં રોષ..

સંતરામપુર તા. ૨૧ 

 સંતરામપુર નગરમાં ભૂગર ગટર યોજના હેઠળ કેટલાક વિસ્તારોમાં કનેક્શન આપેલા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં હજુ સુધી કનેક્શન આપવામાં આવી નથી રહેલા પરંતુ જ્યારથી આ ભૂગર ગટર યોજના અમલમાં આવ્યા પછી અને કામગીરી કર્યા પછી આ દિન સુધ પાલિકા દ્વારા જ્ઞાન આપવામાં આવેલું નથી સુખી નદીની અંદર ગટરની ચેમ્બર બનાવવામાં આવેલી છે અને તેની બાજુમાં પંપિંગ સેન્ટર પણ બનાવવામાં આવેલો છે આખા ગામનું પાણી આ ચેમ્બરમાંથી પસાર થઈને જતું હોય છે પરંતુ સફાઈના અભાવે અને પાણીનો નિકાલ ન થવાના કારણે ઉભરાતી જોવા મળી આવેલી છે આ નદીને આસપાસ ખોડીયાર મંદિર હનુમાનજીનું મંદિર બાપા સીતારામ ની મઢુલી આ તમામ ધાર્મિક સ્થળો આવેલા છે એ બિલકુલ તેની નજીક છે અહીંયા શ્રદ્ધાળુ મંદિરમાં દર્શન કરવા આવતા હોય છે જ્યારે ચારે બાજુથી જેમ પવન આવે તેમ ચારેબાજુથી દુર્ગન આવતી હોય છે પાલિકાની ઘોર બેદરકારી જોવા મળી આવેલી છે ધાર્મિક સ્થળો બાજુ પણ પાલિકાની જરાય સફાઈ કરવા માટે કે સ્વચ્છતા રાખવામાં જરાય રસ નથી આવી ઉભરાદી ચેમ્બરના કારણે મચ્છરનો ઉપદ્રવ અનેક બીમારીનો થવાની સંભાવના જોવાયેલી છે તેમ છતાં પાલિકા હજુ ભી ગોળ નિદ્રામાં જોવા મળી જશે ખરેખર ધાર્મિક સ્થળોની બાજુમાં ઉભરાતી ચેમ્બરો ગંદકી સફાઈ કરવામાં આવે અને સ્વચ્છ રાખવામાં આવે તેવા શ્રદ્ધાળુઓની માંગ ઉભી થયેલી છે.

Share This Article