Thursday, 18/04/2024
Dark Mode

દાહોદમાં મધરાતે ચોરીના ઈરાદે કાચા મકાનના છાપરા પર ચડેલો યુવકને વીજ કરંટ લાગતા મોત

November 11, 2021
        1458
દાહોદમાં મધરાતે ચોરીના ઈરાદે કાચા મકાનના છાપરા પર ચડેલો યુવકને વીજ કરંટ લાગતા મોત

દાહોદમાં મધરાતે ચોરીના ઈરાદે કાચા મકાનના છાપરા પર ચડેલો યુવકને વીજ કરંટ લાગતા મોત

દાહોદ તા.૧૧

દાહોદ શહેરમાં ગતરોજ મધ્યરાત્રીના સમયે ચોરી કરવાને ઈરાદે આવેલ એક અજાણ્યો યુવક કાચા મકાનના છાપરા ઉપર ચઢવા જતાં ઉપરથી પસાર થઈ રહેલ ચાલુ વીજ વાયરના કરંટથી યુવકનું મોત નીપજતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગતરોજ એક યુવક મોડી રાત્રીના સમયે દાહોદ શહેરના દર્પણ સિનેમા રોડ મહાકાળી માતાના મંદિરના વિસ્તાર તરફ આવ્યાં હતો. ચર્ચાઈ રહ્યું છે કે, આ યુવક ચોરી કરવાના આશયે આવ્યો હતો. આ અજાણ્યો યુવક આ વિસ્તારમાં આવેલ એક કાચા પતારાવાળા મકાન ઉપર ચઢ્યો હતો અને તે તે સમયે ઉપરથી પસાર થઈ રહેલ ચાલુ વીજ વાયરને અકસ્માતે અજાણ્યો યુવક અડી જતાં તેનું સખત કરંટ લાગવાને કારણે ઘટના સ્થળ પરજ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ મોડીરાત્રીથી સ્થાનીક રહેવાસીઓને ખબર પડતાં ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યાં હતાં. આ અંગેની જાણ સ્થાનીક પોલીસને પણ કરવામાં આવતાં પોલીસ પણ તાબડતોડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અજાણ્યા યુવકની લાશનો કબજાે લઈ નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે રવાના કરી દેવામાં આવ્યો હતો.

આ ઘટનાને પગલે સ્થાનીકોમાં અનેક તર્કવિતર્કાે વહેતા થવા પામ્યો છે ત્યારે આ યુવક કોણ છે? ક્યાંનો રહેવાસી છે ? અને આ વિસ્તારમાં કેમ આવ્યો હશે? જેવા અનેક સવાલો ઉદ્‌ભવવા પામ્યો છે. તમામ સવાલોના જવાબો તો પોલીસ તપાસમાંજ બહાર આવે તેમ છે ત્યારે યુવક ચોરીના ઈરાદે આવ્યો હોવાની સ્થાનીકોમાં ભારે ચર્ચાઓએ જાેર પકડ્યું હતું.

—————————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!