Sunday, 08/09/2024
Dark Mode

સીરપ કાંડની તપાસ દરમિયાન નવા ખુલાસા… ગરબાડામા આરોગ્ય વિભાગની ટીમને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાના ફોર્મ બળેલી હાલતમાં મળી આવતા આશ્ચર્ય…

December 29, 2023
        2593
સીરપ કાંડની તપાસ દરમિયાન નવા ખુલાસા…  ગરબાડામા આરોગ્ય વિભાગની ટીમને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાના ફોર્મ બળેલી હાલતમાં મળી આવતા આશ્ચર્ય…

રાહુલ ગારી :- ગરબાડા 

સીરપ કાંડની તપાસ દરમિયાન નવા ખુલાસા…

ગરબાડામા આરોગ્ય વિભાગની ટીમને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાના ફોર્મ બળેલી હાલતમાં મળી આવતા આશ્ચર્ય…

ગરબાડા 

ગરબાડા તાલુકા પંચાયતની પાસે આવેલા કોતરમાં આયર્ન ફોલિક એસિડની સીરપની અસંખ્ય બોટલો બાળકોને પીવડાવવા માટે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે તે પાણીમાં ફેંકી દીધેલી હાલતમાં જોવા મળી હતી સરકાર દ્વારા કુપોષિત બાળકોને વિકાસ થાય તે હેતુથી આયર્ન ફોલિક એસિડ ની સિરપ આપવામાં આવે છે આ અનેક બોટલો ગરબાડા તાલુકા પંચાયતની સામે આવેલ પાણીના કોતરમાં ફેંકી દીધેલી હાલતમાં જોવા મળી હતી.જે સમાચાર દાહોદ લાઇવમાં પ્રસિદ્ધ થતાં આજે આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ સ્થળ પર તપાસ કરવા આવ્યા હતા.તે સમયે તપાસ કરતા ચેકિંગ દરમિયાન સિરફની સાથે બાજુમાં બાળી દેવાયેલા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના બળેલા અસંખ્ય ફોમ તમજ અડધા બળેલા પેમ્પ્લેટ પણ મળી આવ્યા હતા ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા કુપોષણ અટકાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચો કરીને આ પેમ્પલેટ કુપોષણ હટાવા અને લોકોને જાગૃત કરવા માટે આપતા હોય છે આ બાબતે આરોગ્ય અધિકારી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે જે સિરફો મળી છે તે તે તેમના વિસ્તારમાં આવતી બેન્ચની નથી તેમ જ જે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનાના પેમ્પલેટ મળી આવ્યા છે તે યોજના તેમની પાસે 2021 ઓનલાઇન આવી છે તેમ જણાવ્યું હતું .. જોવા જઈએ તો આ પેમ્પલેટ તેમજ આ સીરપો ને કોને નાખી છે કેમ નાખી છે અને કયા કારણોસર લોકોને મળતા લાભોથી વંચિત કર્યા છે તે એક ચર્ચા નો વિષય છે હાલ તંત્ર દ્વારા આ બાબતે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જે પણ દોશી નીકળે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!