દાહોદમાં નવા નિમાયેલા કલેક્ટરશ્રીનો પ્રથમ આદેશ:રવિવારે વાણિજ્ય પ્રવૃત્તિ કરવા ઉપર પ્રતિબંધ ચાલું રહેશે

Editor Dahod Live
1 Min Read

 

દાહોદમાં રવિવારે વાણિજ્ય પ્રવૃત્તિ કરવા ઉપર પ્રતિબંધ ચાલું રહેશે

દાહોદ તા.26

દાહોદ જિલ્લામાં કોરોના વાયરસની સ્થિતિને ધ્યાને લઇ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને બજારોને સેનિટાઇઝ કરવાનો અવકાશ રહે એ માટે કલેક્ટર શ્રી હર્ષિત ગોસાવીએ સમગ્ર જિલ્લામાં રવિવારે વાણિજ્યક પ્રવૃત્તિઓ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે.

તેમણે જણાવ્યું છે કે, દાહોદમાં કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે જાહેર સેનિટાઇઝેશનની કરવી પણ ખૂબ જ જરૂરી છે. એથી દાહોદ નગર સહિત સમગ્ર જિલ્લામાં રવિવારે વેપારીઓ પોતાની વાણિજ્ય પ્રવૃત્તિ કરી નહીં શકે. એટલે કે, વેપારીઓએ રવિવારે રજા રાખવાની રહેશે. આ બાબતે બીજી સૂચના ન મળે ત્યા સુધી આ વ્યવસ્થાને અનુપાલન કરવાનું રહે છે. જો કે, જીવનજરૂરી જેવી કે દવાઓ, દૂધ વેચાણની પ્રવૃત્તિ કરી શકાશે.

બાકીના દિવસોમાં પણ વેપારીઓ પોતાના વેપાર સ્થળોએ સામાજિક અંતરનું પાલન થાય એ સુનિશ્ચિત કરે, દૂકાનો ઉપર સેનટાઈઝરની વ્યવસ્થા અને ગ્રાહકો માસ્ક પહેરીને જ આવે તેનું પાલન થાય એ બાબત વેપારીઓએ જોવાની રહેશે.
૦૦૦

Share This Article