Friday, 01/12/2023
Dark Mode

દાહોદમાં નવજીવન કોલેજ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માને વિશાળ જનમેદની ને સંબોધી:કીચડમાં ઉગનારા કમળને ઝાડુંથી સાફ કરીશું :-ભગવંત માન

October 9, 2022
        916
દાહોદમાં નવજીવન કોલેજ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માને વિશાળ જનમેદની ને સંબોધી:કીચડમાં ઉગનારા કમળને ઝાડુંથી સાફ કરીશું :-ભગવંત માન

રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક...

દાહોદમાં નવજીવન કોલેજ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માને વિશાળ જનમેદની ને સંબોધી

કીચડમાં ઉગનારા કમળને ઝાડુંથી સાફ કરીશું :- ભગવંત માન..

મફત વીજળી તેમજ સુવિધાયુક્ત આરોગ્ય તેમજ શિક્ષા આપવા કેજરીવાલની ગેરેન્ટી:ગુજરાતની જનતાને નિઃશુલ્ક અયોધ્યા દર્શન...

કેજરીવાલની સભા પહેલા કેજરીવાલ ગો બેકના પોસ્ટરો લાગ્યા: મધ્યપ્રદેશથી 700 જેટલા વાહનો કેજરીવાલના કાર્યક્રમમાં પહોંચ્યા. 

હવામાન બદલાતા કેજરીવાલ બાય રોડ વડોદરા પહોંચ્યા:

દાહોદ તા.૦૮

દાહોદ ખાતે આજે જંગી સભાને સંબોધતા અરવિંદ કેજરી વાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હુમલાને ગણકાર્યા વગર પુના એકવાર મફતની રેગડીના અનેક વચનો આપી વિસ્તારના મતદારોને આકર્ષવાની કોશિશ કરી હતી. પ્રધાનમંત્રી મોદીની સ્ટાઇલમાં જ કેમ છો શબ્દ વાપરી અને લોકોના મનમાં ઉતરવાનો પ્રયત્ન કર્યો હતો તો પોતાના વક્તવ્ય દરમિયાન ચિઠ્ઠીમાં લખેલા શબ્દ તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારો ભાઈ બેઠો છે શબ્દો ઉચ્ચારતા જ ઉપસ્થિત જનમેદનીએ તેઓને વધાવી લીધા હતા. પોતાના વક્તવ્ય દરમિયાન અંતિમ ક્ષણ સુધી કોઈપણ રાજકીય પાર્ટીનું નામ ન લેનાર શ્રી કેજરી વાલે છેલ્લે છેલ્લે

ભાજપ અને કોંગ્રેસનો નામો ઉલ્લેખ કર્યો હતો જાેકે કોંગ્રેસને માત્ર દસ જ સીટો મળી મળવાની આઈબી રિપોર્ટની વાત કરી કોંગ્રેસને એક પણ વાત નહીં આપવાની વાત થઈ તેઓની સીધે સીધી ચૂનોતી કોંગ્રેસ સાથે કોંગ્રેસ સાથે ભવાની અને કોંગ્રેસના કમિટેડ ફોટો આપની પાર્ટી તરફ આકર્ષિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ગુજરાત પ્રદેશ પ્રમુખ ભીખુદાન ગઢવી પોતાના ભાસણમાં જણાવ્યું હતું કે, ભાજપે એક વોટના ૧૦ હજાર આપવાનું નક્કી કર્યું છે તો ઘરમાં ધારો કે ૪ સભ્યો હોય તો ૪૦ હજાર લઈ લેવાના પણ વોટ આમ આદમી પાર્ટીને આપવાના અને છેલ્લી બે રાત્રીમાં ચવાણા અને બીજા કોઈને લાલચ આપે તો લલચાઈ નહીં જવાનું, તેવું જણાવી આ પરિવર્તનની લહેરને જન જન સુધી પહોંચાડવાની હાંકલ કરી હતી.

દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરના આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન જાહેર જનતાને સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી. ગુજરાત સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશના આગેવાનો સહિત કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. અંદાજે ૨૫ થી ૩૦ હજારની જંગી મેદનીને અરવિંદ કેજરીવાલે જન સભાને સંબોધી હતી. અરવિદ કેજરીવાલે ભાજપ તેમજ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં હતાં. અરવિંદ કેજરીવાલે પોતાના ભાષણમાં ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં હતાં અને જણાવ્યું હતું કે, ભાજપા સરકારે તમામ વસ્તુઓ પર ટેક્સ લાગુ કરી દેતાં ગરીબ અને સામાન્ય માણસ પર બોઝ વધી ગયો છે. ભાજપની સરકારમાં રસ્તાઓ નથી બન્યા, હોસ્પિટલ નથી બની, સ્કુલો નથી બની. ભાપના સરકાર દ્વારા પ્રજાના પૈસા પોતાના અને પોતાની પાર્ટી પાછળ ખર્ચ કરી રહી છે. આમ આદમીની સરકાર બનશે તો ભાજપા સરકાર પાસેથી પ્રજાના તમામ પૈસા પાછા લેશે, મુખ્યમંત્રીને વીજળી ફ્રી મળી શકે, મંત્રીને વિજળી ફ્રી મળી શકે તો જનતાને વીજળી ફ્રી કેમ નથી મળતી ? ૧૮ ૧૮ વર્ષની ઉપરની યુવતીઓ અને મહિલાના એકાઉન્ટમાં દર મહિને નિર્ધારિત રકમ આમ આદમીના પાર્ટીની સરકાર આવશે તો નાંખવામાં આવશે. શિક્ષણ તરફ પણ ધ્યાન આપવામાં આવશે, ૧ હજાર રૂપીયા દરેક મહિલાના ખાતામાં દર મહિનામાં નાંખવામાં આવશે. કેજરીવાલે ગુજરાતીમાં ભાષણ આપતાં જણાવ્યું હતું કે, મહિલાઓ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી,તમારો ભાઈ આવી ગયો છે. દિલ્હીનો ઉલ્લેખ પણ કર્યાેં હતો. દિલ્હીમાં શાળાઓ અને શિક્ષણની સુવ્યવસ્થિત કરવામાં આવ્યું છે. સરકાર

શાળાઓમાં ધ્યાન આપવામાં આવ્યું છે. જજ, આઈએસઆઈ, મજદુર, ગરીબ, મધ્યમ વર્ગીય બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરી રહ્યાં છે. મજદુર અને ગરીબ તેમજ મધ્યમ વર્ગીય લોકોના બાળકો સારૂં શિક્ષણ મેળવી અધિકારીઓ, અફસર બની રહ્યાં છે. દિલ્હીમાં પ્રાઈવેટ શાળાઓ ઉપર લગામ કસવામાં આવી છે અને સરકારી શાળાઓમાં ધ્યાન આપવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો ગુજરાતમાં ૨૦ હજાર મફત સરકારી દવાખાના ખોલવામાં આવશે તેવા વાયદાઓ પણ કેજરીવાલ દ્વારા કરવામાં આવ્યાં હતાં અને ભાજપા અને કોંગ્રેસ પર પ્રહારો કરી જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસને મત ન આપી આ વખતે આમ આદમી પાર્ટીને મોકો આપી આમ આદમી પાર્ટીને મત આપવા જાહેર જનતાને જણાવ્યું હતું.

વિધાન સભાની ચુંટણી નજીક આવતાં તમામ પક્ષો દ્વારા ચુટણી પ્રચાર, પ્રસારનો આરંભ કરી દીધો છે. તમામ પાર્ટીઓ આ વખતે કમર કસી વિધાન સભાની સીટો કબજે કરવા ધમપછાડાઓમાં લાગી ગઈ છે અને જનતાને વચનો આપી જનતાને મનાવવામાં પણ લાગી ગઈ છે ત્યારે ભાજપા અને કોંગ્રેસ સિવાય આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પણ ચુંટણીમાં ઝંપલાવતાં ભાજપા અને કોંગ્રેસ માટે આમ આદમી પાર્ટી ચિંતાનો વિષય બની ગઈ હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સહિત પંજાબના સીએમ ભગવંત માનનો ગુજરાતમાં પ્રચાર, પ્રસાર ધમધોકાર ચાલી રહ્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને જીતવા આમ આદમી પાર્ટી દ્વારા એડી ચોટીનું જાેર લગાવી રહી છે. ગુજરાતમાં તમામ સ્થળોએ જાહેર સભાઓ સંબોધી રહી છે ત્યારે આજરોજ દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવ્યાં હતાં. નિર્ધારિત સમય કરતાં અરવિંદ કેજરીવાલ કલાકો સુધી મોડા પડતાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ભારે હાલાકી સહન કરવી પડી હતી પરંતુ અરવિંદ કેજરીવાલ દાહોદમાં સૌ પ્રથમવાર આવવાના હોઈ તેઓને એક ઝલક દેખવા લોકોનો ભારે જમાવડો જાેવા મળ્યો હતો. ગુજરાતની સાથે સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પણ લોકો દાહોદમાં ઉમટી પડ્યાં હતાં. મધ્યપ્રદેશથી અંદાજે ૭૦૦ થી ૮૦૦ વાહનોમાં હજ્જારોની સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ લોકો દાહોદ અરવિંદ કેજરીવાલની સભામાં જાેડાયાં હતાં. રાજસ્થાનથી પણ આમ આદમી પાર્ટી સહિત લોકો હાજર રહ્યાં હતાં. જાહેર સભામાં અંદાજે ૨૫ થી ૩૦ હજારની જનમેદની ગ્રાઉન્ડ ખાતે હાજર રહી હતી.

આપ પાર્ટીના મંત્રીએ હિન્દૂ દેવી દેવતાં વિશે ટિપ્પણી કરતા દાહોદમાં કેજરીવાલ ગો બેકના ચિત્રો દોરાયા…

ગુજરાતના વડોદરા અને અન્ય શહેરમાં જ્યારે અરવિંદ કેજરીવાલે સભાઓને સંબોધી હતી ત્યારે ત્યાં હિન્દુ સંગઠનો દ્વારા અરવિંદ કેજરીવાલનો ભારે વિરોધ નોંધાંવ્યો હતો ત્યારે આ વિરોધ વંટોળ દાહોદમાં પણ જાેવા મળ્યો હતો. દાહોદ શહેરના ઝાલોદ રોડ ઓવર બ્રિજ ખાતે દિવાલો પર હિન્દુ વિરોધી કેજરીવાલ ગો.. બેક.. ના સ્લોગનો સાથે હિન્દુ સંગઠનોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો.

અરવિંદ કેજરીવાલની સભામાં માનવ મેહરામણ ઉમટતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા…

કેજરીવાલના આગમન પહેલા દાહોદ શહેરના તમામ રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયાં હતાં. કેજરીવાલની સભામાં આવવા માટે મધ્યપ્રદેશથી લોકોનો ભારે ઘસારો જાેવા મળ્યો હતો. મધ્યપ્રદેશથી વાહનોમાં લોકોની ભારે અવર જવર જાેવા મળી હતી જેને પગલે દાહોદ શહેરના ઈન્દૌર હાઈવે રોડથી લઈ બસ સ્ટેશન સુધી કલાકોના ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયાં હતાં.

અરવિંદ કેજરીવાલની એક ઝલક પામવા સભામાં લોકોનો હુજુમ ઉમટતા શમિયાણુ નાનું પડ્યું.

અરવિંદ કેજરીવાલને જાેવા તેમજ તેમનું ભાષણ સાંભળવા માટે લોકોની ભારે પડાપડી જાેવા મળી હતી. કોલેજ ગ્રાઉન્ડ ભરચક લોકો સાથે ભરાઈ ગયું હતું. ભાષણ દરમ્યાન જે લોકેને સ્ટેજમાં બેસવા માટે જગ્યા ન મળતાં તેવા લોકોએ વાહનોની ઉપર તેમજ આસપાસના ડુંગરાળ જેવા વિસ્તારો પર ચઢી કેજરીવાલ અને તેના ભાસણને સાંભળ્યું હતું. ગ્રાઉન્ડ ખાતે પહોંચવા લોકોમાં ભારે પડાપડી પણ થવા પામી હતી. દાહોદ જિલ્લાની આસપાસના ગ્રામીણ લોકોનો પણ ભારે ઘસારો જાેવા મળ્યો હતો.

આમ આદમી પાર્ટીએ ભોજનની વ્યવસ્થા કરતા ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય: ફૂડ પેકેટો અસ્તવ્યસ્ત જોવા મળ્યા..

 આજની આમ આદમી પાર્ટીની જાહેર સભામાં કાર્યકર્તાઓ અને જાહેર જનતા માટે પાર્ટીએ ભોજનની સારી વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ સ્થળ પર ભારે ગંદકીનું સામ્રાજ્ય જાેવા મળ્યું હતું. ફુડ પેકેટોની વ્યવસ્થા કરવામાં આવી તો આ ફુડ પેકેટો સ્થળ પર વિખરાયેલા અને ગંદકી જાેવા મળી હતી. લોકો ખાઈ ખાઈને જાહેર જગ્યા પરજ ફુટ પેકેજાે નાંખી જતાં રહેતાં સ્વચ્છતાના સંદેશ એળે મુકાઈ ગયો હતો. ઘણા લોકોન ફુટ પેકેજાે પણ ન મળતાં ઉહાપોહ થવા પામ્યો હતો.

—————————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!