![MGVCLની બેદરકારી..ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ ગામે વરસાદના પગલે ત્રણ વીજપોલ ધરાશાયી:વીજ સપ્લાય બંધ રહેતા આસપાસના વિસ્તારોમાં અંધારપટ છવાયો..](https://dahodlive.com/wp-content/uploads/2022/10/Screenshot_20221009-183334_WhatsAppBusiness-770x377.jpg)
રાહુલ ગારી :- ગરબાડા
MGVCLની ઘોર બેદરકારી..ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ ગામે વરસાદના પગલે ત્રણ વીજપોલ ધરાશાયી:વીજ સપ્લાય બંધ રહેતા આસપાસના વિસ્તારોમાં અંધારપટ છવાયો..
ધારાશાયી થયેલ વીજલાઇનમાંથી 150 થી વધુ ખેડૂતોને વીજ કનેકશન આપવામાં આવ્યા છે.
ગરબાડા તા.09
ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામના ખરાડ ફળિયામાં વરસાદના પગલે ત્રણ જેટલા વીજપોલ ધારાશાયી થયા છે. આ વીજપોલ ખેતરોમાં પડ્યા ને લગભગ એક મહિનાનો સમય થવા આવ્યો છે.પરંતુ ગરબાડા MGVCL ના કર્મચારીઓ કે અધિકારીઓ દ્વારા આ વીજપોલ ને ખેતરોમાંથી હટાવી ફરીથી ઊભા કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલ નથી.જેના કારણે ખેડૂતો દ્વારા વીજ કરંટ ના ડરથી ખેતરોમાં જવાનું બંધ કરી દીધેલ છે.માટે MGVCL દ્વારા પડી ગયેલ વીજપોલને ખેતરો માંથી હટાવી કામગીરી હાથ ધરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આ 11 Kv લાઈનથી ઝરીબુઝર્ગ 150 થી વધારે ખેડૂતો સિંચાઈ માટે વીજ લાઈન ઉપયોગ કરે છે.
આ વીજપોલને જમીનની અંદર વધારે ઊંડાણ કરી રોપવામાં ન આવતા તથા જે સિમેન્ટનો માલ નાખવામાં આવેલ છે તેની કામગીરી યોગ્ય રીતે નહીં કરવાના કારણે તેમજ બેદરકારી પૂર્વકની કામગીરીના કારણે વીજપોલ ધરાશાઈ થયા હોય તેમ સામે આવ્યું છે.આ બાબતે MGVCL ના અધિકારી જોડે વાત કરતા તેમને જણાવ્યું હતું કે ગામતળના નમી પડેલા થાંભલા ઉભા કરવામાં આવ્યા છે.અને ખરાડ ફળિયાની સામે પડેલ થાંભલાની તપાસ કરીશું તેમજ જો ખેડૂતો પાસે વીજ મીટર નહિ હોય તો તે વીજપોલના સમારકામ ની કામગીરી કરાવવી નકામી છે તેમ જણાવ્યું હતું.