લોખંડી પુરુષનો ઘોર અપમાન: લીમખેડામાં સર્કિટ હાઉસ પાસે અજાણ્યા ઇસમો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બિનવારસી હાલતમાં રેઢીયાળ મૂકી દેવાતા આક્રોશ..

Editor Dahod Live
2 Min Read

લોખંડી પુરુષનો ઘોર અપમાન: લીમખેડામાં સર્કિટ હાઉસ પાસે અજાણ્યા ઇસમો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બિનવારસી હાલતમાં રેઢીયાળ મૂકી દેવાતા આક્રોશ..

દાહોદ તા.૨૯

દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં આવેલ સર્કિટ હાઉસ અને આર એન્ડ બી ઓફિસની બાજુમાં બિન વારસી હાલતમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા નજરે પડતાં અનેક ચર્ચાઓએ ભારે જાેર પકડ્યું છે. આ પ્રતિમા કોઈ મુકી ગયું હશે અને ક્યાં કારણોસર અહીં મુકી દેવામાં આવી હશે ? જેવા અનેક સવાલો લોક માનસમાં ઉદભવવી રહ્યાં છે.

 

ગુજરાત રાજ્યમાં એક તરફ વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે સરકાર વલ્લ્ભભાઈ પટેલની પ્રતિમા ગૌરવ પામે તેવી ઉભી કરવામાં આવી છે ત્યારે બીજી તરફ લીમખેડાના સર્કિટ હાઉસ અને આર એન્ડ બી ઓફિસની બાજુમાં એક અપ્રતિમ ઘટના સામે આવી છે, જ્યાં કાચા મકાનના આગળ ઓટલા પર બિનવારસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પડી છે. આ પ્રતિમાનો હાલનો સ્થિતિ અને તેની ઓળખ અંગે ઘણા સવાલો ઊભા થયા છે. લીમખેડા નગરમાં આવેલ સર્કિટ હાઉસ અને આર એન્ડ બી ઓફિસની બાજુમાં સરકાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કોઈક દ્વારા ઓટલા પર મુકી દેવામાં આવતાં અનેક તર્ક વિતર્કાે સર્જાઈ રહ્યાં છે. જવાબદાર અધિકારીઓએ હવે સુધી શું પગલાં લીધા ? આ પ્રતિમા માટે સામાન્ય રીતે પ્રશંસાનો માહોલ હોય છે, પરંતુ આ પ્રકારે તેનું મૌન અને લક્ષ્ય વિમુક્ત સ્થિતિ હવે તબક્કાવાર ચર્ચાનો વિષય બન્યું છે. આ પ્રતિમા કોણે મૂકી છે? આ સવાલ હવે સમાચારોના મંચ પર છે. સરદાર પટેલની પ્રતિમા કેવી રીતે અને કોણે મૂકી, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી મળી. આ પ્રતિમા કોણી છે ? કેટલાક લોકો માનતા છે કે આ સરદાર પટેલની સ્મૃતિ માટે કોઈ સંસ્થાએ પ્રસ્તુત કરી હોય, પરંતુ તે અંગે કોઇ અધિકૃત પુષ્ટિ મળી નથી. આખરે, સ્થાનિક લોકો અને સમાજના સભ્યો આ બાબતે હડફડાટમાં છે. આ તાજેતરમાં બનતી ઘટનાની બિનવારસે સ્થિતિ અને ગુમાવેલ પ્રતિમા પર શું કાર્યવાહી થશે ? તે તમામ વિષયો પર લોકોમાં ભારે ચર્ચાઓએ જાેર પકડ્યું છે.

Share This Article