દાહોદમાં તહેવારોને અનુલક્ષીને પોલીસે વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજ્યું
દાહોદ તા.21
દાહોદમાં રમજાન ઈદ અને પરશુરામજીની જન્મ જયંતીને અનુલક્ષીને તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજ્યું હતું.જેમાં આવતીકાલે મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ પૂર્ણ થાય અને ઈદની ઉજવણી થવાની હોય અને તે જ દિવસે ભગવાન પરશુરામજીની જન્મ જયંતીની ઉજવણી થવાની હોઈ બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પોલીસ દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફ્રુટ પેટ્રોલિંગ વિવિધ વિસ્તારોમાં યોજવામાં આવ્યું હતું.જેમાં પોલીસ હેડક્વાટર,એ ડિવિઝન બી ડિવિઝન તેમજ એલસીબી એસઓજી અને પેરોલફર્લો SRP ટીમોને સાથે રાખી સરસ્વતી સર્કલથી સ્ટેશન રોડ બસ સ્ટેશન ઠક્કર ફળીયા કસ્બા પડાવ માણેક ચોક જેવા વિસ્તારોમાં પોલીસ કાફલા સાથે ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું