દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ નજીક મોટરસાઇકલ સ્લીપ ખાતા બે ઈસમોના મોત:એક ઈજાગ્રસ્ત…

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ

દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ નજીક મોટરસાઇકલ સ્લીપ ખાતા બે ઈસમોના મોત:એક ઈજાગ્રસ્ત…

 

દાહોદ તા.23

દેવગઢ બારિયા તાલુકાના હિન્દોલીયા થી અંતેલા તરફ જવાના રસ્તે પૂરઝડપે આવતી બાઇક ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે ત્યારે અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારિયા તાલુકાના રાણીપુરા આંગણવાડી ફળિયાના રહેવાસી મહેશભાઈ રૂપાભાઈ વણકર પોતાના કબજા હેઠળની Gj-20-AZ-7233 નંબરની મોટરસાયકલ પર પ્રદીપભાઈ લક્ષ્મણભાઈ વણકર તેમજ વિપુલ ભલાભાઇ વણકરને બેસાડી પોતાનું વાહન પુરઝડપે હંકારી હિંદોલિયાથી અંતેલા તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં મહેશભાઈએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક પર સવાર ત્રણેય ઈસમો જમીન પર પટકાતા પ્રદીપભાઈ લક્ષ્મણભાઈ વણકરને જીવલેણ ઈજાઓ પહોંચતા તેઓનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વિપુલ ભલાભાઇ વણકર તેમજ મહેશભાઈ રૂપાભાઈ વણકરને નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં વિપુલભાઈ ભલાભાઇ વણકરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

 ઉપરોકત બનાવ સંદર્ભે દેવગઢ બારિયા તાલુકાના રાણીપુરા આંગણવાડી ફળિયાના રહેવાસી દિલીપભાઈ નાનજીભાઈ વણકરે પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે માર્ગ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Share This Article