સંતરામપુરનો બટકવાડામાં પોઝીટીવ કેસો નોંધાતા કંટેઇન્મેન્ટ એરિયા જાહેર કરાયો

Editor Dahod Live
1 Min Read

 ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.30

સંતરામપુર તાલુકાના બટકવાડા ગામે વધુ એક પોઝિટિવ કેસ સંતરામપુર તાલુકાના બટકવાડા ગામ ભમાત અંબાબેન તપાસ કરાવતા રિપોર્ટમાં પોઝિટિવ કેસ આવેલો હતો બટકવાડા ગામે પંદર દિવસ અગાઉ અંબાબેન ની ઘરે છોકરાની વહુ ને કોઈ કારણ વગર મોત થયું હતું આ બાબતની જાણ આરોગ્ય વિભાગને જાણ થતાં જ તેમના તમામ ઘરોના સભ્યોના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમના ઘરની વહુ મજૂરી કરીને અમદાવાદથી બટકવાડા તેમના ઘરે આવ્યા હતા આરોગ્ય વિભાગની શંકાસ્પદ જણાતા તૈયારીમાં જ ઘરના સભ્યોને હોમ કોરોનટાઇન કરવામાં આવ્યા હતા અને તેમાંથી ઘરના એક સભ્ય મહિલાનો રિપોર્ટ અંબાબેનનો રિપોર્ટ પોઝીટીવ આવેલો હતો.મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે ધીરે ધીરે કોરો ફેલાવા લાગ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં પોઝીટીવ  આવતા જ તંત્રને ઉજાગરા વધી ગયેલા જોડાઇ રહ્યા છે.સંતરામપુરના ત્રણ અને ગ્રામ્ય વિસ્તારના ૩ કુલ મળીને કુલ છ કેસ નોંધાયા છે.સંતરામપુર તાલુકાના બટકવાડા ગામે અંબાબેન ભમાત સીર ગામના બે મીનાક્ષી બેન અને તેમના સસરા સંતરામપુર નગરના ઉમંગ ચૌહાણ ધર્મેશ રાઠોડ હિતેશ રાઠોડ કુલ છ કેસ પ્રોજીટીવ  આવેલા છે.

Share This Article