રાજેન્દ્ર શર્મા /જીગ્નેશ બારીયા :- દાહોદ
-
દાહોદ મુવાલીયા તળાવ નજીક માદા દીપડી પાંજરે પુરાઈ
-
વન વિભાગ દ્વારા ગઈકાલે સાંજે મુકવામાં આવેલા પાંજરામાં રાત્રી દરમિયાન માદા દીપડી પાંજરે પુરાઈ
-
ગ્રામજનો સહીત આસપાસના વિસ્તારના લોકોને હાશકારો
-
નાનુભાઈ માવીના ઘરના કમ્પાઉન્ડ દીપડો ઘૂસી મરઘાનું કરતો હતો શિકાર
-
મુવાલીયા નસીરપુર સહિતના વિસ્તારમાં બે બાળ દીપડાઓ સાથે 5 દીપડા વસવાટ કરતા હોવાનું જણાવતા સ્થાનિકો
-
માદા દીપડી તેમજ એક દીપડો પકડાઈ જતા હવે બે બાળ દીપડા તેમજ એક નર દીપડો વસવાટ કરતા હોવાની આશંકા
દાહોદ તા.14
દાહોદ તાલુકાના મુવાલિયા તળાવ નજીકથી વન વિભાગ દ્વારા મુકવામાં આવેલા પાંજરામાં માદા દીપડી પુરાઈ છે.જે બાદ વનવિભાગ તેમજ આસપાસના સ્થાનિક લોકોમાં રાહતનો દમ લીધો છે.જોકે વધુ મળતી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી દાહોદ શહેરને અડીને આવેલા મુવાલિયા સહિતના આસપાસના વિસ્તારમાં દીપડો લટાર મારતાનો વિડિઓ શોશ્યલ મીડિયામાં વાયરલ થયાં બાદ સ્થાનિક લોકોમાં લોકોમાં ભય સહીત ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો હતો.ત્યારબાદ ગ્રામજનો સહીત આસપાસના લોકોની માંગણી બાદ વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે નસીરપુર પાસે ગઈકાલે સાંજે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.જેમાં આજરોજ વહેલી સવારે માદા દીપડી પાંજરામાં પુરાઈ ગયો હતો.