કલ્પેશ શાહ :- સીંગવડ
સીંગવડ તાલુકાના સંજેલી તરફ જતી મેટ્રોલિંક બસનું ટાયર નીકળ્યું:30 થી 40 મુસાફરોનો આબાદ બચાવ
એસટી બસની પેટ્રોલિંગ બસનુ ચાલુ બસે હબ સાથે ટાયર નીકળતાં મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા.
સીંગવડ તા.25
સીંગવડ તાલુકાના સંજેલી રોડ પર મેટ્રોલિંક બસનું હબ સાથે ટાયર નીકળી જતા 30 થી 40 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
બારીયાથી રંધીપુર થઈને સંજેલી જતી મેટ્રોલિક બસ સંજેલી થી પરત બારીયા જવામાટે નીકળી તેવા સમયે સીંગવડ ના સંજેલી રોડ પર બસની ડ્રાઈવર સાઈડનો ટાયર સાથે હબ નીકળી જતા અંદાજે ૩૦થી ૪૦ મુસાફરોનો બચાવ થયો હતો
જ્યારે બસના ટાયર નીકળી ને અંદાજે ૫ ફૂટ જેટલુ દૂર ઊભેલી મોટરસાયકલને અથડાતા મોટરસાયકલ પડતાં તેને નુકસાન થવા પામ્યું હતું આતો મોટરસાયકલ ઊભેલી હતી જો મોટરસાયકલ રનીંગમાં હોતી તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત આતો મોટરસાયકલ નુકસાન થયું જો ખાલી સાઈડ નું ટાયર નીકળી ગયું હોત તો બસ પલટી મારી જવાનો ભય રહેતો અને તેમાં મુસાફરી કરી રહેલા ૩૦થી ૪૦ મુસાફરોનો જીવ નું શું હતું
તે ચર્ચાનો વિષય બનવા પામ્યું છે જો આ બસો ટાઈમથી સર્વિસ થતી હોય છે તો પછી ડ્રમ સાથે ટાયર નીકળી જવું તે ચોક્કસ બતાવે છે કે ખાલી સર્વિસ નો નામ થાય છે આ બારીયા ડેપો ની બસ હોય તેમાં આટલી મોટી ખામી સર્જાઈ છે જો આ તો ઘળાવ ચડવા ના લીધે બસ ધીરી કરીને ટેકરો ચડતી હતી જો આ રસ્તામાં રનીંગ મા બસનું ટાયર નીકળ્યું ગયો હોત તો કેટલી મોટી દુર્ઘટના સર્જાતી એક ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે આ બસો નું સર્વિસ વ્યવસ્થિત થતી હોય તો આવું થવું બહુ ઓછું બને તેમ છે જ્યારે બસોમાં નાના-મોટા મુસાફરો મુસાફરી કરતા હોય છે તો આ બસો કન્ડીશન સારી હોવી જોઈએ ટાઈમથી સર્વિસ વ્યવસ્થિત થવી જોઈએ તો આ બસો ની દુર્ઘટના ઓછી થાય તેમ છે માટે આના માટે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા ધ્યાન રાખીને વ્યવસ્થિત સર્વિસ કરવામાં આવે તો કોઇ મોટી દુર્ઘટના ન ઘટી શકે તેમ છે