Saturday, 27/07/2024
Dark Mode

સિંગવડ તાલુકામાં ગરીબોનું અનાજ વધુ આવક ધરાવતા તેમજ નોકરી કરતા કર્મચારીના પરિવારો પણ લેતા હોવાની બૂમો…         

October 5, 2022
        835
સિંગવડ તાલુકામાં ગરીબોનું અનાજ વધુ આવક ધરાવતા તેમજ નોકરી કરતા કર્મચારીના પરિવારો પણ લેતા હોવાની બૂમો…         

 કલ્પેશ શાહ :- સીંગવડ

સિંગવડ તાલુકામાં ગરીબોનું અનાજ વધુ આવક ધરાવતા તેમજ નોકરી કરતા કર્મચારીના પરિવારો પણ લેતા હોવાની બૂમો…         

સિંગવડ તા.05

સિંગવડ તાલુકામાં સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને એન.એફ.એમ..એ યોજના હેઠળ વિનામૂલ્યે તથા રેશનકાર્ડમાં રાહત દરનું અનાજ વાહન ધારકો નોકરી કરતા પેન્શન લેતા પરિવાર દ્વારા આનો લાભ લેવામાં આવતું હોય છે જે સરકાર દ્વારા આ અનાજ બંધ કરવામાં આવેલ હોવા છતાં સરકારી પુરવઠા તંત્ર દ્વારા આ રેશનકાર્ડ ધારકોને અનાજ આપવાનું બંધ કરવામાં આવે તો ગરીબ માણસને આ રેશનકાર્ડનું અનાજ મળી રહે તેમ છે.જ્યારે દુકાનદાર અને સરકારી તંત્રની નિષ્કાળજીના લીધે ગરીબ લોકોને આ રેશનકાર્ડમાં મળતું અનાજ બાકી રહી જાય છે.અને જે વાહન ધારકો નોકરી કરતા વધારે આવક ધરાવતા લોકો તેમનો લાભ લેતા હોય છે. જો સરકારી તંત્રના અધિકારીઓ દ્વારા આજે સરકારી રેશનકાર્ડમાં અનાજ આપવામાં આવે છે. તે આ નોકરી કરતા વાહન ધરાવતા રેશન ધારકોને નહીં આપવામાં આવે તો ગરીબ લોકોને તેનો લાભ મળી રહે તેમ છે. જ્યારે કાચું મકાન અને સાયકલ જેવી સુવિધા છે તેમને મળી શકે તેમ છે પરંતુ આ સરકાર દ્વારા બીપીએલ સહિતના ગરીબે રેખા હેઠળ ચાલતા તમામ રેશનકાર્ડ ધારકોને આનો લાભ મળતો નથી.જ્યારે ફોરવીલર વાહનનો ધરાવતા પરિવારને સરકારના પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડ ઉપર અપાતો રાહત દરનો અનાજનો જથ્થો મળવાપાત્ર ન હોવા છતાં સિંગવડ તાલુકાના અનેક પરિવારો જેવો ફોરવીલ ગાડી નોકરી કરતા અને સારી એવી આવક ધરાવતા હોવા છતાં સરકારના રાહત દરના અનાજનો જથ્થો લઈ રહ્યા છે તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે. જ્યારે ગરીબના રેશનકાર્ડમાં સિક્કા મારેલ ન હોવાના લીધે તેના રેશનકાર્ડમાં અનાજ મળી શકતું નથી જો સરકારે પુરવઠા વિભાગ દ્વારા આ વાહન ધારકો તથા નોકરી કરતા પેન્શન વગેરે સામે કડક અમલ કરીને તેમને રેશનકાર્ડ માંથી સરકારી અનાજ આપવાનું બંધ કરવામાં આવે તો બીજા ઘણા ગરીબ લોકો છે તેમને તેનો લાભ મળી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!