Saturday, 12/07/2025
Dark Mode

ઝાલોદ તાલુકાના જાફરપુરા ગામે વિજેતા સરપંચના વરઘોડામાં તોફાનીઓએ ધીંગાણુ મચાવ્યું.

December 22, 2021
        1409
ઝાલોદ તાલુકાના જાફરપુરા ગામે વિજેતા સરપંચના વરઘોડામાં તોફાનીઓએ ધીંગાણુ મચાવ્યું.

જીગ્નેશ બારીયા :- દાહોદ 

ઝાલોદ તાલુકાના જાફરપુરા ગામે વિજેતા સરપંચના વરઘોડામાં તોફાનીઓએ ધીંગાણુ મચાવ્યું…

દાહોદ તા.૨૨

 દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના જાફરપુરા ગામે ગ્રામ પંચાયતની ચુંટણીમાં વિજયી થયેલ ઉમેદવારના વિજય સરઘસમાં ૭ જેટલા ઈસમોના ટોળાએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી ભારે ધિંગાણું મચાવી પથ્થર મારો કરી તેમજ વાહનોની તોડફોડ કર્યાં બાદ ખેતરમાં મુકી રાખલ ઘાસના પુળામાં આગ ચંપી કરી નુકસાન પહોંચતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

 ગત તા.૨૧મી ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચુંટણીમાં જાફરપુરા ગ્રામ પંચાયતના ઉમેદવાર પ્રકાશભાઈ લાલસીંગભાઈ ડામોર સરપંચ પદ પર વિજેતા જાહેર થયાં હતાં અને ગામમાં તેમનો વિજયોઉત્સવ રૂપે સરઘસ નીકળ્યું હતું. આ દરમ્યાન ગામમાં રહેતાં ધર્મેન્દ્ર ઉર્ફે ધમો શંકરભાઈ ડામોર, મુકેશભાઈ પુનીયાભાઈ ડામોર, રાકેશભાઈ સવલાભાઈ ડામોર, મંજુભાઈ દલસીંગભાઈ ડામોર, પારસીંગભાઈ સમુડાભાઈ ડામોર, પારૂભાઈ ચુનીયાભાઈ ડામોર અને રમણભાઈ મનીયાભાઈ ડામોરનાઓ એકપંસ થઈ ગેરકાયદે મંડળી બનાવી વિજય સરઘસમાં કીકીયારીઓ કરી આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી ગામમાં રહેતાં બળવંતભાઈ દામાભાઈ મછાર વિગરેને બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને બળવંતભાઈના ઘરના આગણમાં મુકી રાખેલ વાહનોની તોડફોડ કરી, ભારે પથ્થર મારો કર્યાેં હતો. મનસુખભાઈ, છગનભાઈ અને મગનભાઈને છુટ્ટા પથ્થરો મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી અને સુરતાન વાલસીંગભાઈ તંબોળીયાના કેતરમાં સુકા મકાઈના ઘાસના ભેગા થયેલ પુળામાં આગ ચંપી નુકસાન પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે બળવંતભાઈ દામાભાઈ મછારે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!