શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા નગરમાંથી પકડાયેલા ઢોરને પાંજરાપોળમાં મૂકી દેવામાં આવશે :- સરપંચ
નગરના નગરજનો ને અડચણરૂપ થતા ઢોરને પકડી પાડી પાંજરાપોળમાં મોકલી આપવામાં આવશે
ફતેપુરા તા.04
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં તેમજ આજુબાજુના ઢોર માલિકો દ્વારા ઢોરને છૂટા મૂકી દેવામાં આવતા નગરજનોને અડચણરૂપ થતા આ ઢોર થી નાની મોટી ઈજાઓ પણ થવા પામી હતી. જેનો વિરોધ ગ્રામજનોનો ગ્રામ પંચાયત પ્રતિ જોવા મળતા જેથી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ઢોર માલિકો દ્વારા ઢોર છૂટા મૂકી દેવામાં આવેલ છે.તેવા ઢોર ને પકડી પાડી પાંજરાપોળમાં મોકલી દેવામાં આવશે અને આ કાર્યવાહી કરવામાં જો કોઈ ઢોર માલિક અડચણરૂપ કામગીરી કરશે તો તેઓ ના વિરોધમાં પોલીસ ફરિયાદ કરવાની પણ જાહેરાત કરેલ છે