
રાહુલ મહેતા :- દે. બારીયા
દે.બારીયા તાલુકાના પંચેલામાં બારીયા નોર્મલ રેન્જ તથા સામાજિક વનીકરણ રેંજના સંયુક્ત ઉપક્રમે વન્યજીવ તથા પર્યાવરણ,સંરક્ષણ,સંવર્ધન વિશે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
દે.બારીયા તા.03
આજરોજ તારીખ તા ૦૩/૧૦ ૨૦૨૧ ના વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી ના ભાગરૂપે ના.વ.સં. શ્રી બારીયા ના માર્ગદર્શન તેમજ મ.વ.સં. શ્રી ની સૂચના થી બારીયા તાલુકાના પંચલા ગામે બારીયા નોર્મલ રેન્જ તથા સામાજિક વનીકરણ રેંજ બારીયા ના સંયુક્ત ઉપક્રમે પરિક્ષેત્ર વન અધિકારી બારીયા દ્વારા વન્યજીવ તથા પર્યાવરણ સંરક્ષણ તેમજ સંવર્ધન વિશે ગામ લોકો ને જાગૃત કરવામાં આવ્યા તેમજ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 ની જોગવાઈઓ વિશે સમજણ આપવામાં આવી તેમજ માનવ વન્યપ્રાણી ઘર્ષણ કેવી રીતે નિવારી શકાય તે બાબતે સમજણ આપવામાં આવી તથા જંગલ ભાગે દવ ન લગાડવા અંગે પણ સમજણ આપવામાં આવી. વન ની ઉપયોગીતા બાબતે વિસ્તૃત સમજ આપવામાં આવેલ છે તથા કિંગ ઓફ રાજમહેલ સ્નેક રેસ્ક્યુ ટિમ ના સભ્યો તેમજ શ્રી રવિભાઈ પરમાર દ્વારા વિવિધ પ્રકારના સાપો વિશે ગ્રામજનોને વિસ્તૃત સમજણ સાપ ના નમૂના બતાવી આપવામાં આવેલ છે.તથા ગ્રામજનોને તુલસીના રોપા વિતરણ આવે છે ગામ ના આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરી પ્રકૃતિ જતન કરવા ગ્રામ લોકો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે નાના બાળકો તેમજ ગ્રામજનોએ ઉત્સાહભેર આ કાર્યક્રમ માં ભાગ લીધો તથા વિવિધ પ્રશ્નો વિશે જાણકારી પણ મેળવી છે.