
જીગ્નેશ બારીયા :- દાહોદ
-
કોરોના સંક્રમણ મામલે દાહોદ જિલ્લાની પરિસ્થતિ વણસી
-
આજે નવા 60 દર્દીઓના ઉમેરા સાથે છેલ્લા ચાર દિવસમાં કોરોનાનો આંક 250 નજીક પહોંચ્યો:વધુ 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો
-
વેન્ટિલેટર તેમજ ઓક્સીજનની જરૂરિયાત વાળા દર્દીઓની હાલત કફોડી બની
-
કોરોનાના કેસોમાં થઇ તોતિંગ વધારાથી ઝાયડસ સહિત શહેરના ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થવાની કગાર પર
-
લગ્નસરા સહિતના મેળાવડાના કારણે અર્બન વિસ્તાર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણમાં રોકેટગતીના વધારાથી પરિસ્થિતિ વધુ ભયાવહ
-
આરોગ્ય વિભાગ તેમજ સ્થાનિક વહીવટી તંત્રના સતત પ્રયાસો બાદ પણ કોરોનાના કેસોમાં થઇ રહેલા રોકેટ ગતિના વધારો:તંત્ર લાચાર, શહેર-જિલ્લાની પરિસ્થિતિ દિવસેને દિવસે બદ થી બદતર થવાની દિશામાં