માનસિક તણાવના બોજ વચ્ચે પોલીસ કર્મચારીના કુળદીપક બુઝાયા.! દાહોદમાં પોલીસ કર્મચારીના પરિવારમાં આત્મહત્યાનો પ્રયાસ,બે માસુમ બાળકોના મોત.

Editor Dahod Live
4 Min Read

રાજેશ વસાવે :-દાહોદ 

માનસિક તણાવના બોજ વચ્ચે પોલીસ કર્મચારીના કુળદીપક બુઝાયા.!

દાહોદમાં પોલીસ કર્મચારીના પરિવારમાં આત્મહત્યાનો પ્રયાસ,બે માસુમ બાળકોના મોત.

પત્નિ સારવાર હેઠળ, કારણ હજી અકબંધ;પોલીસ તપાસ શરૂ..

દાહોદ તા.૧૬

દાહોદ શહેરમાં એક ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં સમગ્ર દાહોદ જિલ્લા પોલીસ બેડામાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી છે જેમાં પોલીસ કર્મચારી ફરજ પર ગયાં પછી પાછળથી માનસીક તણાવ વચ્ચે પોલીસ કર્મચારીની પત્નિએ પોતાના બે માસુમ બાળકો સાથે ઝેરી પીણું પી આપઘાતનો પ્રયાસ કરતાં આ આપઘાતના પ્રયાસમાં પોલીસ કર્મચારીના બંન્ને માસુમ બાળકોના કરૂણ મોત નીપજ્યાં છે જ્યારે પત્નિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પત્નિને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યાં છે. આ સામુહિક આત્મહત્યાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી પરંતુ પોલીસ વર્તુળોના જાણવા મળ્યાં મુજબ પોલીસ કર્મચારીની પત્નિનું મનોચિકિત્સક પાસે સારવાર ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ તપાસ બાદ આ સામુહિક આત્મહત્યા કરવા પાછળનું સાચુ કારણ બહાર આવશે તેવું લાગી રહ્યું છે.

 

દાહોદ સહિત સમગ્ર ગુજરાતભરમાં અને ખાસ કરીને પોલીસ વિભાગમાં ચકચાર મચાવી મુકે તેવો બનાવ દાહોદમાંથી સામે આવ્યો છે જેમાં દાહોદ શહેરમાં એલઆઈબી વિભાગમાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારી હાર્દિક ઉપાધ્યાય (મુળ રહે.ભાવનગર અને હાલ રહે.ચાકલીયા રોડ, દાહોદ)ની પત્નિ અવનિબેન ઉપાધ્યાયએ પોતાના બે માસુમ બાળકો જેમાં ૧૨ વર્ષિય શ્વોક અને ૨ વર્ષિય રૂદ્ર ઝેરી પીણું પીવડાવી બંન્ને બાળકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. આ ઘટનાની જાણ પોલીસ કર્મચારીને થતાં પોલીસ કર્મચારી સહિત શહેરનો પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. માતા તેમજ તેમજ બે માસુમ પુત્રોને તાત્કાલિક સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં તબીબે બંન્ને માસુમ બાળકોને મૃત જાહેર કરતાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો ત્યારે બીજી તરફ પોલીસ કર્મચારીની પત્નિ અવનિબેન ઉપાધ્યાય સારવાર હેઠળ છે. મળતી માહિતી પ્રમાણે પોલીસ કર્મચારીનો પરિવાર દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો હતો અને આ ઘટના તેઓના આ ભાડાના મકાનમાં બનવા પામી છે. સામુહિક આત્મહત્યાનું કારણ હજી પણ અકબંધ છે અને આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાે છે. ખાસ કરીને પોલીસ બેડામાં આ ઘટનાને પગલે શોકનું મોજુ ફરી વળ્યું છે.

 

*માનસિક તણાવના બોજ વચ્ચે પોલીસ કર્મચારીના કુળદીપક બુઝાયા.!*

 

પોલીસ કર્મચારી હાર્દિક ઉપાધ્યાયનો ૧૨ વર્ષનો દિકરો શ્વોક બોલી નથી શકતો હોવાથી તેમજ સાથે માનસીક રીતે દિવ્યાંગ હોવાથી છેલ્લા ઘણા વર્ષાેથી બાળકની સારવાર અને સંભાળ બંન્ને માતા-પિતા કરી રહ્યાં હતાં. અને દરમ્યાન પતિ નોકરી પર ગયા પછી આખો દિવસ પુત્ર સાથે દિવસ પસાર કરતી પત્નિ તેની આ હાલત જાેઈને પોતે પણ માનસીક રીતે પડી ભાંગી હતી અને છેલ્લા કેટલાય સમયથી તેમનું પણ મનોચિકિત્સક પાસે સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે માનસીક તણાવ વચ્ચે મહિલાએ આ પ્રકારનું પગલું ભર્યુ છે. જેમાં 12 વર્ષ તેમજ 2 વર્ષના બાળકનું મોત થતા આજે પરિવાર વિખેરાઈ ગયો છે.જોકે આ ઘટના કયા કારણસર બની છે. તે અંગે પોલીસ હવે તપાસ કરી રહી છે.

Share This Article