
સુમિત વણઝારા
દાહોદ:ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા તેમજ નવીન જિંદાલના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટર ને આવેદન..
દાહોદ તા.13
દાહોદના મુસ્લિમ સમાજે ભેગા મળી ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા અને નવીન જિંદાલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું
થોડા દિવસો અગાઉ ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા મુસ્લિમ સમાજના પૈગમ્બર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના વિરુદ્ધમાં તેમને ગુસ્તાખી કરી હતી અને તેને લઈને મુસ્લિમ સમાજ રોષે ભરાયો હતો મુસ્લિમ સમાજના રોશને લઈને તેમાં મુસ્લિમ દેશોના વિરોધને લઈને હરકતમાં આવેલી ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂપુર શર્મા અને નવીન જિંદાલની તરત જ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો તેમજ નૂપુર શર્માને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને સાથે જ જણાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દરેક ધર્મનું સન્માન કરે છે એવું પણ જણાવવામાં આવ્યું હતું પરંતુ નૂપુર શર્મા અને નવીન જિંદાલ સામે કોઈપણ કાનૂની કાર્યવાહી ન થતા મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ભભૂકી ઉઠી હતી અને તેને લઈને દેશભરમાં લોકોએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને આવેદનપત્ર સુપરત કરાયા હતા તેની કડક સજાની માંગ સાથે ત્યારે તેને લઈને આજરોજ દાહોદના મુસ્લિમ સમાજના અલગ અલગ કોમના લોકો પણ દાહોદ જિલ્લા છાપરી ખાતે આવેલી કલેકટર કચેરીના પટાંગણમાં ભેગા થયા હતા અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા અને નવીન જિંદાલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે દાહોદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમા દાહોદ મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા હતા અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.