દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ અલગ અલગ સમયગાળા દરમિયાન સગીરાનું લગ્નના ઇરાદે અપહરણ..
દાહોદ તા.૧૭
દાહોદ જિલ્લામાંથી ત્રણ જુદી જુદી જગ્યાએથી અલગ અલગ સમયગાળા દરમ્યાન ત્રણ સગીરાઓને યુવકો દ્વારા પોતાની પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં જેતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
સગીરાના અપહરણનો પ્રથમ બનાવ દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૪મી મેના રોજ દેવગઢ બારીઆ તાલુકાના રામા ગામે રહેતો રવિન્દ્રભાઈ રમેશભાઈ બારીયાએ પોતાના મિત્રની મદદ લઈ મોટરસાઈકલ પર આવી દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક ૧૫ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાની માતા દ્વારા પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સગીરાના અપહરણનો બીજાે બનાવ લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૧ મેના રોજ ધાનપુર તાલુકાના કાલીયાવાડ ગામે રહેતો મેહુલભાઈ અભલાભાઈ મેડાએ લીમખેડા તાલુકામાં રહેતી એક સગીરાના ઘરે આવી સગીરાને પટાવી, ફોસલાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતા દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સગીરાના અપહરણનો ત્રીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના સાગટાળા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૦૪ મેના રોજ છોટાઉદેપુર જિલ્લાન ગુડા ગામે રહેતો ગણેશભાઈ કનુભાઈ નાયકેદેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક ૧૭ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતા દ્વારા સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————————-