રાજેશ વસાવે :- દાહોદ
ધાનપુર તાલુકાના પીપરીયા ગામે 9 ઈસમોએ એક વ્યક્તિની જમીન પચાવી પાડતા પોલીસમાં રાવ…
દાહોદ તા.17
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપરીયા ગામે એક વ્યક્તિની માલિકીની જમીનને નવ જેટલા ઈસમોએ એકબીજાના મેળાપીપણામાં જમીનને પચાવી પાડી કબજાે જમાવી લેતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ધાનપુર તાલુકાના પીપરીયા ગામે રહેતાં ચંદ્રભાઈ ધીરાભાઈ ડામોર, જશુભાઈ ધીરાભાઈ ડામોર, નટુભાઈ ધીરાભાઈ ડામોર, બાબુભાઈ ઝેરાભાઈ ડામોર, અભેસિંહ ઝેરાભાઈ ડામોર, અજમેલભાઈ છગનભાઈ ડામોર, નવલસિંહ છગનભાઈ ડામોર, હજારભાઈ ગોપસીંગભાઈ ડામોર અને મનહરભાઈ જવલાભાઈ ડામોરનાઓએનાઓએ એકબીજાના મેળાપીપણામાં ધાનપુર તાલુકાના લખણાગોજીયા ગામે વાખળા ફળિયામાં રહેતાં પર્વતભાઈ છેડાભાઈ વાખળાની પીપરીયા ગામે આવેલ તેઓની માલિકીની જમીનને ઉપરોક્ત નવ જેટલા ઈસમોએ પચાવી પાડી કબજાે જમાવી લેતાં આ સંબંધે પર્વતભાઈ છેડાભાઈ વાખવાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————————-