રાજેન્દ્ર શર્મા :-દાહોદ લાઈવ ડેસ્ક…
રાજ્યના દરિયા કિનારે ત્રાટકનાર તાઉ-પે વાવાઝોડાની આડ અસર.. દાહોદના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો :
વહેલી સવારે ધીમીધારે કમોસમી માવઠું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
કમોસમી માવઠાને પગલે APMC માં ખુલ્લામાં પડેલ અનાજ બગડવાની શક્યતા
કમોસમી માવઠાને પગલે ખેડૂત વર્ગ તેમજ એપીએમસીના વેપારીઓના માથે ચિંતાના વાદળો છવાયા
દાહોદ તા.16
ગુજરાતના દરિયા કિનારે ત્રાટકનાર તોઉ-પે વાવાઝોડાના પગલે દાહોદના વાતાવરણમાં આવ્યો પલટો, શનિવારના કાળઝાળ ગરમી બાદ આકાશમાં વાદળોનો જમાવડો થતાં સાંજના સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ત્યારે આજે વહેલી સવારે ધીમી ધારે કમોસમી માવઠું પડતા ઠંડા પવનો ફૂંકાયા હતા. એક તરફ કમોસમી માવઠાને પગલે ખેડૂત વર્ગમાં તેમજ apmc ની બહાર ખુલ્લામાં પડેલો અનાજ પલળવાને લઇ અનાજ વેપારીઓ માટે ચિંતાનો વિષય બની જવા પામેલ છે.
અરબ મહાસાગરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે તાઉ-પે વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ત્રાટકવાની એક તરફ સંભાવના જોવાઇ રહી છે.જ્યાં બીજી તરફ આ વાવાઝોડાના પગલે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.દાહોદમાં ગઈકાલે દિવસ દરમિયાન સતત ગરમીના ઉકળાટ બાદ સાંજ પડતા આકાશ વાદળમય બની જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.પરંતુ આજે સવારે અચાનક જ સવારના વહેલી સવારે કમોસમી માવઠું પડતા દાહોદ APMC ની બહાર ખુલ્લામાં મૂકેલ અંનાજ પણ પલળી જવાની જવાની ભીતિ સર્જાવા પામી છે. ત્યારે સવારના સમયે અચાનક જ પડેલા ક.મોસમી વરસાદને પગલે અનાજ વેપારીઓના માથે ચિંતાના વાદળ જોવા મળી રહ્યા છે. તો ક.મોસમી વરસાદ પડવાથી ખેડૂતોના પાકને પણ નુકસાન થવાંની ભીતિ સર્જાવા પામી છે.