દાહોદ જિલ્લામાં ઓછું પરિણામ ધરાવતી શાળાના શિક્ષકો માટે બે દિવસીય વર્કશોપ નો કાર્યક્રમ યોજાયો..
દાહોદ જિલ્લામાં ૪૦ ટકાથી ઓછા ટકા ધરાવતી શાળાના શિક્ષકોને માટે બે દિવસીય વર્કશોપનો બે દિવસીય વર્કશોપનો કાર્યક્રમ યોજાયો
દે.બારીયા તા.09
દાહોદમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી,દાહોદ જિલ્લા માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળ તેમજ જિલ્લા લોક વિજ્ઞાનના સંયુક્ત ઉપક્રમે ઓછું પરિણામ ધરાવનારી શાળાના શિક્ષકો માટે બે દિવસીય વર્કશોપનો કાર્યક્રમ યોજાયો
દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી અને દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળ તથા જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દાહોદના સંયુક્ત ઉપક્રમે ૪૦ ટકાથી ઓછો પરિણામ ધરાવતી શાળાઓના શિક્ષકોનો બે દિવસીય વર્કશોપ જીલ્લા શિક્ષણાધિકારી કાજલબેન દવે મેડમના માર્ગદર્શન હેઠળ નવજીવન ગર્લ્સ હાઈસ્કૂલ દાહોદ ખાતે શિક્ષણ નિરીક્ષક શ્રીમતી મેઘાવિનીબેન શાસ્ત્રીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.જેમાં સ્વાગત પ્રવચન શાળાના આચાર્યા રાગિણીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું. વર્કશોપ અંગેની ભૂમિકા વિજ્ઞાન મંડળ મંત્રી કમલેશ લીમ્બાચીયા દ્વારા બાંધવામાં આવી .વિજ્ઞાન મંડળના ઉપપ્રમુખ બી એન દુબે દ્વારા પણ શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું અધ્યક્ષે પણ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતું મદદનીશ શિક્ષણ નિરીક્ષક સબુરભાઇ કિશોરી અને એન આર વસૈયા હાજર રહ્યા હતા લોક વિજ્ઞાન કેન્દ્ર સંયોજક કુતાથ જોષી દ્રારા શુભેચ્છા પાઠવી હતી તા 7/2/22 ગણિત -વિજ્ઞાન તજજ્ઞો દ્વારા ગણિત વિજ્ઞાન વિષય શિક્ષક મિત્રોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તા 8/2/22 અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનના તજજ્ઞ મિત્રો દ્વારા અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનના શિક્ષક મિત્રોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ વર્કશોપ ની જિલ્લા શિક્ષણ અધિકારી કાજલબેન દવે મુલાકાત લઇ જિલ્લાનુ પરિણામ કેવી રીતે વઘુ આવે તે અંગે શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રકાશ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું આ વર્કશોપ માં ગણિત – વિજ્ઞાનના 104 શિક્ષકો, અંગ્રેજી વિષય ના 89 શિક્ષકો તેમજ સામાજિક વિજ્ઞાનના 72 શિક્ષકો આમ બે દિવસીય વર્કશોપમાં કુલ 265 શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા