
રાજેશ વસાવે :- દાહોદ
*આઈસીડીએસ વિભાગ તરફથી પોષણ અભિયાન અંતર્ગત થતી કામગીરીનું રીવ્યુ કરવામાં આવ્યું*
*બાળકોમાં થતી સ્થૂળતાને દૂર કરવા માટે સ્વસ્થ જીવનશૈલી તરફ વળે એ માટે આઈસીડીએસ વિભાગ દ્વારા કરવા આવતી અનેકવિધ કામગીરી*
દાહોદ તા. 20
માન.વડાપ્રધાનશ્રી દ્વારા તા.૦૮, માર્ચ ૨૦૧૮ ના રોજ પોષણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવેલ છે. પોષણ અભિયાન અંતર્ગત મહિલા અને બાળવિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા દર વર્ષે માર્ચ એપ્રિલ માસમાં જનજાગૃતિ માટે ‘પોષણ પખવાડિયા’ની ઉજવણી કરવાનુ નક્કી કરેલ છે.
દાહોદ જિલ્લામાં સામુદાયિક પહોંચ અને જનજાગૃતિ દ્વારા કુપોષણને સમાપ્ત કરવા સાથે આંગણવાડી કેન્દ્રોમાં વરસાદી પાણીના સંગ્રહને લગતી પ્રવૃત્તિઓ, આયુષ અને WASH (શૌચાલય, પીવાનું પાણી અને સ્વચ્છતા) પ્રથા દ્વારા ટકાઉ ખોરાક પ્રણાલી અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન, ઝાડા વ્યવસ્થાપન, એનિમિયા દૂર કરવા પણ પ્રવૃત્તિ હાથ ધરી શકાય છે.
આ દરમ્યાન જીલ્લા પ્રોગ્રામ ઓફીસરશ્રી ઈરાબેન ચૌહાણએ કહ્યું હતું કે, પોષણ પખવાડિયું સફળ અને યોગ્ય રીતે ઉજવાય તે માટે થીમ બેઇઝ પ્રવૃત્તિઓ થાય તે મુજબ કાર્યવાહી કરવાની હોય છે, વિવિધ શાખાઓ અને વિભાગોની સંકલિત કામગીરી દ્વારા પોષણ પખવાડિયામાં કરવામાં આવતી તમામ પ્રવૃત્તિઓનું જનઆંદોલન ડેશબોર્ડ પર એન્ટ્રી કરવામાં આવે તે સુનિશ્વિત કરવાનું રહેશે એમ જણાવ્યું હતું.
પોષણ પખવાડીયા દરમ્યાન પોષણ અભિયાન ઘર-ઘર સુધી પહોંચે તે માટે સબંધિત અધિકારીશ્રીઓએ ઉપર મુજબની થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતી પ્રવૃતિઓ કરવાની રહેશે. દાહોદ જિલ્લામાં તમામ સ્તરે અધિકારીશ્રીઓને આ પ્રવૃતિઓનું ઉત્સાહપુર્વક આયોજન કરવા અને ગ્રામ પંચાયતો અને શહેરી સ્થાનિક સંસ્થાઓનો લાભ લઈને મોટા સમુદાયની સહભાગીતાને પ્રોત્સાહિત કરવા અને માન.વડાપ્રધાનના સુપોષિત ભારતના સ્વપ્નને સમર્થન અને વેગ આપવા માટે જણાવવામાં આવ્યું હતું.
પોષણ પખવાડીયાનું સફળ અને યોગ્ય રીતે ઉજવાય તે માટે જુદી જુદી શાખાઓ અને વિભાગો સાથે આયોજન કરી પોષણ પખવાડીયાની ઉજવણી કરવી, તે તમામ પ્રવૃતિઓનું જન આંદોલન ડેશબોર્ડ પર કેટલી એન્ટ્રી કરવામાં આવી તેનું રીવ્યુ કરવામાં આવ્યું હતું.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય (MWCD) રાજ્ય સરકારોના સંપૂર્ણ સમર્થન સાથે મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ ૨.૦ કાર્યક્રમનો અમલ કરે છે. પોષણ અભિયાન નામની ઝુંબેશ પણ આ મિશનનો જ એક ભાગ છે, જે વ્યક્તિગત અને સામુદાયિક સ્તરે વર્તન પરિવર્તન દ્વારા કુપોષણ ઘટાડવા માટે કામગીરી કરે છે.
એ સાથે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, પોષણ પખવાડાની ઉજવણી કરીને ૨૦૧૮ થી દર વર્ષે માર્ચ અને એપ્રિલમાં પોષણ અભિયાનની કામગીરીને વધુ વેગવાન બનાવે છે. માર્ચ, ૨૦૨૪માં યોજાયેલા છેલ્લા પોષણ પખવાડા દરમિયાન દેશભરમાં આંગણવાડીઓ અને અન્ય હિતધારકો દ્વારા ૧૭ કરોડથી વધુ પ્રવૃત્તિઓની કરવામાં આવી હતી.
૭ મા પોષણ પખવાડિયાની ૮ થી શરુ થઇ હતી જે ૨૨ એપ્રિલ, ૨૦૨૫ સુધી ઉજવણી કરવામાં આવશે. જેની થીમ આ પોષણ પખવાડિયમાં જીવનના પ્રથમ ૧૦૦૦ દિવસો પર ધ્યાન કેન્દ્રિત કરવું એ છે. જે પર ધ્યાન કેન્દ્રિત કરી પ્રવૃત્તિઓનું આયોજન કરવા જણાવવામાં આવ્યું હતું.
*