
રાજેશ વસાવે :- દાહોદ
જાણતા-અજાણ્યા વેપારીઓને કાયદાકીય ગૂંચવણોમાં મદદરૂપ થવા વેપારીઓ સંગઠિત..
દાહોદમાં જિલ્લામાં વેપારીની સમસ્યાઓના ઉકેલ માટે વેપારી મહા સંગઠનની રચના કરાઈ, હોદેદારોની નિમણુંક કરાઈ..
દાહોદ તા.09
દાહોદ ખાતે સમગ્ર જિલ્લામાંથી એકઠા થયેલા વિવિધ વર્ગના વેપારીઓ દ્વારા આજે પોતાના ધંધા રોજગાર ની સામે પડકારરૂપ કેટલા પ્રશ્નોને સામૂહિક રીતે પડકારવા તેમજ સરકારી કાયદાઓની અણસમજ ને કારણે છેતરતા વેપારીઓને સહાયરૂપ થવાના આશય સાથે એક જિલ્લા કક્ષાની સંગઠન ઊભું કર્યું હતું
દાહોદ જિલ્લા વેપારી મહા સંગઠન ના નામે રચના થયેલ આ સંઘમાં જિલ્લા ભરના અગ્રણી વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા સંઘ શક્તિ કલયુગે ઉક્તિને સાર્થક કરવાના સંકલ્પ પણ લીધા હતા એટલું જ નહીં સમગ્ર જિલ્લામાં કેટલીક ખાસ સરકારી એજન્સીઓ દ્વારા કાયદાથી અણસમજ વેપારીને કરાતી કનડગત અંગે જાગૃતિ ફેલાવી આવા વેપારીઓની વાહરે આવી સામૂહિક રીતે પ્રશ્નોનો ઉકેલ કરવાની ઉદ્દેશ પણ આ સંગઠનનો મુખ્ય ધ્યેય હોવાનું સૌ એ સ્વીકાર્યું હતું
એટલું જ નહીં તમામ પ્રકારના ધંધા રોજગારોના વિકાસ માટે આ સંગઠન મજબૂત રીતે વેપારીઓની સાથે રહી જાગૃતિ લાવી અને શિબીરોનું આયોજન પણ હાથ ધરશે તેવું આજે થયેલી રચનાના હોદ્દેદારોએ જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે છે કે દાહોદ જિલ્લામાં કેટલાક સમયથી તમામ વર્ગના વેપારીઓને એનકેન પ્રકારે કાયદાની અજાણતામાં જે તે એજન્સીઓની મનમાની નો ભોગ બનવું પડ્યું છે
અને આવા તત્વોની સામે લડવા દાહોદ જિલ્લામાં કોઈ ઠોસ સંગઠન ન હતું તેને લઈને એકલ પંડો વેપારી ને ભારે નુકસાન વેચવાનો વારો આવતો હતો પરંતુ આજ રોજ અત્રેની અવંતિકા રિસોર્ટ ખાતે મળેલી જિલ્લાભરની મિટિંગમાં દાહોદ જિલ્લા વેપારી મહા સંગઠનની રચના કરવામાં આવી હતી આ રચનાના મુખ્ય સંયોજક તરીકે સુનિલ અગ્રવાલ પ્રમુખ તરીકે શ્રી ભરતભાઈ સોલંકી ઉપ-પ્રમુખ તરીકે બારીયાના મહેશભાઈ બાલવાણી દાહોદના સદરભાઇ લીમખેડા વાળા લીમખેડાના ચિરાગભાઈ શાહ દાહોદના દેવીદાસભાઈ ખત્રી તથા મંત્રી તરીકે ઝાલોદના ગોપાલભાઈ અગ્રવાલ ની નિયુક્તિ કરવામાં આવી હતી
મોટી સંખ્યામાં ઉપસ્થિત જિલ્લાના વેપારીઓએ સમગ્ર બોડી ને અભિનંદન પાઠવ્યા હતા તથા ખભે ખભા મિલાવી પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયત્નશીલ રહેવાની ખાતરી ઉચ્ચારી ને સંકલ્પ લીધો હતો.